નિર્ણય@ઊંઝા: ગંજમાં આવતો માલ સીધો ગોડાઉનમાં, કોરોના સામે કાળજી

અટલ સમાચાર, ઊંઝા કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે ઊંઝા ગંજબજારના વેપારી દ્રારા સરાહનિય નિર્ણય કરવામાં આવ્યો છે. ગંજબજારમાં આવતો ખેડૂતોનો માલ સીધો જ જેતે વેપારીના ગોડાઉનમાં જ પહોંચતો કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વેપારીઓ દ્રારા કોરોનાના કહેર વચ્ચે સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
નિર્ણય@ઊંઝા: ગંજમાં આવતો માલ સીધો ગોડાઉનમાં, કોરોના સામે કાળજી

અટલ સમાચાર, ઊંઝા

કોરોના વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે ઊંઝા ગંજબજારના વેપારી દ્રારા સરાહનિય નિર્ણય કરવામાં આવ્યો છે. ગંજબજારમાં આવતો ખેડૂતોનો માલ સીધો જ જેતે વેપારીના ગોડાઉનમાં જ પહોંચતો કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વેપારીઓ દ્રારા કોરોનાના કહેર વચ્ચે સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના ઊંઝા ગંજબજારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવાન સરાહનિય નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે, સરકારે ઇન્ડસ્ટ્રીઝ, માર્કેટિંગ યાર્ડ સહિત આજથી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો શરૂ કરવાની શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે. જેને લઇ ઊંઝા ખાતે માર્કેટિંગ યાર્ડમાં 1600 ઉપરાંત લાઇસન્સ ધારક વેપારીઓ દ્વારા પ્રિમાઇસીસ બહાર વેપાર શરૂ કરવામાં આવ્યો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા જિલ્લામાં આવેલ એશિયાની સૌથી મોટી એપીએમસી યાર્ડના 1600 વેપારીઓએ એવી બજાર શરૂ કરી કે લોકો ક્યાંય ભેગા નહીં થાય. ઊંઝા માર્કેટ યાર્ડના 1600 ઉપરાંત લાઇસન્સ ધારક વેપારીઓ દ્વારા માર્કેટ બહાર વેપાર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા પોતાના ગોડાઉન ઉપર ડાયરેકટ માલની ખરીદી કરવામાં આવશે. ત્યારે ઊંઝા એપીએમસીમાં આજથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવનાર ખેડુતનો માલ બીજા દિવસે વેપારીઓ દ્વારા સીધો ખરીદ કરવામાં આવી રહ્યો છે. આમ લોકો માર્કેટ યાર્ડમાં આવશે નહીં પરંતુ ગોડાઉન પરથી જ ધંધો થશે.