દિયોદરઃ આરોગ્ય વિભાગ દ્વારા મીડિયાકર્મીઓનું મેડિકલ ચેકપ કરાયું
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) રાજ્યમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આવા સમય મીડિયા કર્મીઓ પોતાની ફિલ્ડમાં જઇને ફરજ નિભાવી રહ્યા છે. જેમાં આજરોજ દિયોદર મીડિયા હાઉસના આગેવાન નટુભાઈ ચૌહાણ અને નારણભાઈ રાવળના માર્ગદર્શન હેઠળ દિયોદર આરોગ્ય વિભાગ કચેરી ખાતે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા કર્મીઓનું મેડિકલ ચેકપ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ મીડિયા કર્મીના
Apr 24, 2020, 18:01 IST
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
રાજ્યમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આવા સમય મીડિયા કર્મીઓ પોતાની ફિલ્ડમાં જઇને ફરજ નિભાવી રહ્યા છે. જેમાં આજરોજ દિયોદર મીડિયા હાઉસના આગેવાન નટુભાઈ ચૌહાણ અને નારણભાઈ રાવળના માર્ગદર્શન હેઠળ દિયોદર આરોગ્ય વિભાગ કચેરી ખાતે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા કર્મીઓનું મેડિકલ ચેકપ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ મીડિયા કર્મીના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
દિયોદર બી એચ ઓ બ્રિજેશ વ્યાસની હાજરીમાં મેડિકલ ચેકપ કરવામાં આવેલ અને જેમાં આરોગ્ય વિભાગ દ્વારા મીડિયા કર્મીઓને કોરોના વાઇરસ વચ્ચે સાવચેતી રાખવા તેમજ રિપોટિંગ કરતી વખતે એક મીટરનું અંતર અને માસ્ક પહેરી રિપોટિંગ કરવા અનુરોધ કરેલ અને જનતા સુધી સાચી માહિતી પોહચાડતા મીડિયા કર્મીઓની કામગીરી પણ બિરદાવી હતી.