દિયોદર: વીજવાયર પડતાં આખલાંનું મોત, બાળકોની ગેરહાજરીથી મોટો બચાવ
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) દિયોદર તાલુકાના ગામે વીજ વાયર તુટતાં આખલાંનું મોત નિપજ્યુ છે. જોકે નજીકમાં જ આંગણવાડી હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી છે. પ્રાથમિક તપાસમાં જીઇબી દ્રારા સમયસર સમારકામ કરવામાં ન આવતા ચાલુ વીજ વાયર તુટી પડ્યો હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિકોનો આક્રોશ છે કે, જો આખલાંની જગ્યાએ આંગણવાડીના બાળકો હોત અને તેમને
Feb 26, 2020, 17:01 IST
અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)
દિયોદર તાલુકાના ગામે વીજ વાયર તુટતાં આખલાંનું મોત નિપજ્યુ છે. જોકે નજીકમાં જ આંગણવાડી હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી છે. પ્રાથમિક તપાસમાં જીઇબી દ્રારા સમયસર સમારકામ કરવામાં ન આવતા ચાલુ વીજ વાયર તુટી પડ્યો હોવાનું સામે આવ્યુ છે. સ્થાનિકોનો આક્રોશ છે કે, જો આખલાંની જગ્યાએ આંગણવાડીના બાળકો હોત અને તેમને કંઇ થઇ જતા તો જવાબદારી કોની ?
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના વખા ગામે વીજ દુર્ઘટનામાં આખલાંનુ મોત થયુ છે. વખા ગામે આવેલી આંગણવાડી નજીકથી પસાર થતો ચાલુ વીજ વાયર આજે સવારના સમયે નીચે પટકાયો હતો. આ દરમ્યાન આંગણવાડીના બાળકો બહાર ન હોવાથી મોટી દુર્ઘટના થતી અટકી છે. આ દરમ્યાન વીજ વાયર આખલાં ઉપર પટકાતા તેનું મોત થયુ હતુ.