દિયોદર: સુજલામ સુફલામ્ કેનાલમાં પાણી બંધ, કૃષિપાકો સંકટમાં
અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક) દિયોદર પંથકની સુજલામ સુફલામ્ કેનાલોમાં પાણી બંધ કરી દેવાતા બાજરી સહિતના પાક ઉપર સંકટ આવી શકે છે. કોરોના વાયરસનાં કારણે લોક ડાઉન ની સ્થિતિમાં પાણી બંધ થઈ જતાં ખેડૂતો રજૂઆત કરવા પણ ક્યાં જાય તેને લઇ પણ અનેક સવાલો ઉભા થયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા
Mar 30, 2020, 22:02 IST
અટલ સમાચાર,દિયોદર (કિશોર નાયક)
દિયોદર પંથકની સુજલામ સુફલામ્ કેનાલોમાં પાણી બંધ કરી દેવાતા બાજરી સહિતના પાક ઉપર સંકટ આવી શકે છે. કોરોના વાયરસનાં કારણે લોક ડાઉન ની સ્થિતિમાં પાણી બંધ થઈ જતાં ખેડૂતો રજૂઆત કરવા પણ ક્યાં જાય તેને લઇ પણ અનેક સવાલો ઉભા થયા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા જસાળી સુજલામ સુફલામ્ કેનાલમાં અગમ્ય કારણોસર પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કેનાલ ને કારણે અમારા બોરના તળિયા ઊંચા આવ્યા હતા. જોકે વારંવાર કેનાલોમાં પાણી બંધ કરી દેવાતા કૃષિપાકો સંકટમાં મુકાયા છે.