ધાનેરા: મોડીરાત્રે ભંગારની દુકાનમાં ભીષણ આગ, અંતે કાબુમાં લેવાઇ
અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી) ધાનેરામાં ગત મોડીરાત્રે એક ભંગારની દુકાનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગની ઘટનામાં મોટું નુકશાન થયુ હોવાનું ભિતી સેવાઇ રહી છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગ દ્રારા ભારે જહેમતને અંતે આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનાને લઇ અફરાતફરની માહોલ સર્જાયો
Dec 31, 2019, 12:03 IST
અટલ સમાચાર, ધાનેરા (અંકુર ત્રિવેદી)
ધાનેરામાં ગત મોડીરાત્રે એક ભંગારની દુકાનમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગની ઘટનામાં મોટું નુકશાન થયુ હોવાનું ભિતી સેવાઇ રહી છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગ દ્રારા ભારે જહેમતને અંતે આગ પર કાબુ મેળવાયો હતો. ઘટનાને લઇ અફરાતફરની માહોલ સર્જાયો હતો.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના ધાનેરાના દૂધ શીત કેન્દ્રની સામે આવેલ ભંગારની જગ્યામાં આગ લાગી હતી. ગત મોડીરાત્રે અચાનક લાગેલી આગથી મોટું નુકશાન થયુ હોવાની ભિતી સેવાઇ રહી છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જોકે ભારે જહેમતને અંતે પાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્રારા આગ પર કાબુ મેળવાયો હતો.