ધાનેરા@અકસ્માત : સામરવાડા પાસે ગાડી પલ્ટી મારતા 2 ના મોત, 2 ઘાયલ
અટલ સમાચાર,ધાનેરા(અંકુર ત્રિવેદી) બનાસકાંઠના ધાનેરામાં સોમવારે સવારે સામરવાડા પુલ પાસે દુધ ભરાવી પરત ફરતી વખતે ગાડીને અકસ્માત નડયો હતો. જેમાં બે ઇસમોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અન્ય બે ઇસમોને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ધાનેરા નજીક સામરવાડા પુલ પાસે સોમવારે વહેલી સવારે દૂધ ભરાવીને પરત
May 27, 2019, 11:32 IST
અટલ સમાચાર,ધાનેરા(અંકુર ત્રિવેદી)
બનાસકાંઠના ધાનેરામાં સોમવારે સવારે સામરવાડા પુલ પાસે દુધ ભરાવી પરત ફરતી વખતે ગાડીને અકસ્માત નડયો હતો. જેમાં બે ઇસમોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અન્ય બે ઇસમોને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ધાનેરા નજીક સામરવાડા પુલ પાસે સોમવારે વહેલી સવારે દૂધ ભરાવીને પરત ફરી રહેલ ગાડીની વચ્ચે નીલગાય આવી જતા ચાલકે કાબુ ગુમાવતા ગાડી પલ્ટી મારી ગઇ હતી. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જોકે અન્ય બે ઇસમો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક 108 મારફતે પહેલા ધાનેરા રેફરલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પી.એમ. અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.