ધાનેરા: તંત્રની સમજાવટથી ખેડુતોએ ચક્કાજામનું હથિયાર મુકતા હાશકારો
અટલ સમાચાર, ડીસા
બનાસકાંઠાના ધાનેરામાં શનિવારે ખેડુતોએ ચક્કાજામ કરતા ચકચાર કરતા ધાનેરામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસ અને તંત્રની સમજાવટ બાદ હાલ માર્ગ શરૂ કરાતા મુસાફરો અને ખેડુતોને રાહત થઇ છે. રાયડાની ખરીદીની પ્રક્રીયા કરવા માટે અન્ય માણસોને બોલાવી ચાલુ કરી દેવામાં આવી છે.
સમગ્ર મામલે ડીએસઓ, પુરવઠા નાયબ મામલતદાર વિરમાભાઇ બી.એસ.ખરાડી મામલતદાર ધાનેરા, પી.એસ.આઇ બરંડાએ આંદોલન કરી રહેલા ખેડુતોને સમજાવ્યા હતા. અને ડીએસઓ બનાસકાંઠાએ સ્થળ ઉપર આવી બહારથી અન્ય તોલાટો બોલાવી રાયડાની ખરીદીની પ્રક્રીયા ફરી શરૂ કરાવતા ખેડુતોએ હાશકારો અનુભવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, શનિવારે ધાનેરા ગંજબજારમાં તોલાટો ગાયબ થઇ જતા ખેડુતોએ ભારે રોષ સાથે ચક્કાજામ કરી હાઇવે બ્લોક કરી દેતા મુસાફરો અટવાઇ પડયા હતા. ઘટનાની જાણ થતા ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરસ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકં તંત્ર અને પોલીસે સમજાવટનો દોર હાથ ધર્યો હતો.