મુશ્કેલી@રાધનપુર: રેલ્વે દ્વારા બે ગામ વચ્ચેનો માર્ગ બંધ, ખેડૂતો બન્યા લાલઘૂમ
અટલ સમાચાર, મહેસાણા રાધનપુર તાલુકાના મહેમદાવાદ-કોલ્હાપુર રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી રેલ્વે લાઈનનું કામ ચાલુ છે. ત્યાંથી બંને ગામના લોકો અવરજવર કરી રહ્યા હતા. જોકે અચાનક રેલવે તંત્ર દ્વારા માર્ગ બંધ કરતા મહેમદાવાદના ખેડૂતો માટે ભયંકર મુશ્કેલી ઉભી થઈ છે. રેલવે તંત્ર નહિ માનતા પ્રાન્ત કચેરીએ રજૂઆત કરવામાં આવી છે.પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ અને કોલ્હાપુર
Jul 22, 2019, 17:40 IST
અટલ સમાચાર, મહેસાણા
રાધનપુર તાલુકાના મહેમદાવાદ-કોલ્હાપુર રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી રેલ્વે લાઈનનું કામ ચાલુ છે. ત્યાંથી બંને ગામના લોકો અવરજવર કરી રહ્યા હતા. જોકે અચાનક રેલવે તંત્ર દ્વારા માર્ગ બંધ કરતા મહેમદાવાદના ખેડૂતો માટે ભયંકર મુશ્કેલી ઉભી થઈ છે. રેલવે તંત્ર નહિ માનતા પ્રાન્ત કચેરીએ રજૂઆત કરવામાં આવી છે.પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ અને કોલ્હાપુર વચ્ચે શરૂઆતથી જ કાચો રસ્તો છે. બંને ગામ વચ્ચેથી પાલનપુર-ગાંધીધામ રેલ્વેલાઇન નીકળે છે. જેમાં અત્યારે નવિન લાઇન નાખવાનું કામ ચાલું હોઇ ફાટક નં 94 રેલ્વે ઓથોરીટીએ બંધ કરી દીધો છે. જેના કારણે બંને ગામના લોકોને ભારે મુશ્કેલી બની છે.