ચકચાર@થરાદ: સોની વેપારીની લાશ કેનાલમાંથી મળી, સોનાની વીંટીઓ ગાયબ, હત્યા કે આત્મહત્યા ?

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ થરાદ પંથકની કેનાલમાં આજે વહેલી સવારે એક વેપારીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. વેપારીની લાશ સાથે તેમનું એક્ટિવા પણ મળ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત વેપારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે વેપારીની લાશ પાસેથી તેમણે પહેરેલ સોનાની
 
ચકચાર@થરાદ: સોની વેપારીની લાશ કેનાલમાંથી મળી, સોનાની વીંટીઓ ગાયબ, હત્યા કે આત્મહત્યા ?

અટલ સમાચાર ડોટ કોમ, થરાદ

થરાદ પંથકની કેનાલમાં આજે વહેલી સવારે એક વેપારીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. વેપારીની લાશ સાથે તેમનું એક્ટિવા પણ મળ્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આ તરફ ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત વેપારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે વેપારીની લાશ પાસેથી તેમણે પહેરેલ સોનાની વીંટીઓ નહીં મળતાં પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાને લઇ પાલિકાના તરવૈવા દ્રારા મૃતકની લાશને બહાર નીકાળાયા બાદ પોસ્ટમોર્ટમ અંગે મોકલી દેવાઇ છે.

ચકચાર@થરાદ: સોની વેપારીની લાશ કેનાલમાંથી મળી, સોનાની વીંટીઓ ગાયબ, હત્યા કે આત્મહત્યા ?
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદની નર્મદા કેનાલમાંથી સોની વેપારીની લાશ મળતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ થરાદના વેપારીની એમની એક્ટિવા સાથે લાશ નર્મદા કેનાલ પરથી મળી આવી છે. જોકે હજી સુધી વેપારીના નામ સહિતની વિગતો સામે આવી નથી. આ તરફ ઘટનાને જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત્ વેપારીઓ ઘટનાસ્થળે પહોંચતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. આ સાથે વેપારીએ હાથમાં પહેરેલ સોનાની વીંટીઓ પણ આસપાસથી નહીં મળતાં પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો છે. પાલિકાના તરવૈયા સુલતાન મીર દ્રારા મૃતકની લાશને બહાર કઢાયા બાદ પોલીસે થરાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો