દ્વારકાઃ મંદિરમાં વાર્ષિક આવક 12 કરોડ રૂપિયા
અટલ સમાચાર, ડેસ્ક ભારતના પશ્ચિમ છેવાડા ચાર યાત્રાધામોમાંના યાત્રાધામ શ્રી કૃષ્ણ નગરીના દ્વારકાધીશજી મંદિરમાં વર્ષ 2018-19 દરમિયાન મનોરથ ભોગ અને દાનની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. દેવસ્થાન સમિતિને રૂ. 12 કરોડ, અઢાર લાખ, સતર સો ઓગણપચાસ રૂપિયાનું રોકડ દાન પ્રાપ્ત થયું છે. દ્વારકાધીશ મંદિર પરિસરમાં યાત્રિકો અનેકવિધ સુવિધાઓ ગત વર્ષમાં પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર
Apr 13, 2019, 13:28 IST
અટલ સમાચાર, ડેસ્ક
ભારતના પશ્ચિમ છેવાડા ચાર યાત્રાધામોમાંના યાત્રાધામ શ્રી કૃષ્ણ નગરીના દ્વારકાધીશજી મંદિરમાં વર્ષ 2018-19 દરમિયાન મનોરથ ભોગ અને દાનની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. દેવસ્થાન સમિતિને રૂ. 12 કરોડ, અઢાર લાખ, સતર સો ઓગણપચાસ રૂપિયાનું રોકડ દાન પ્રાપ્ત થયું છે.
દ્વારકાધીશ મંદિર પરિસરમાં યાત્રિકો અનેકવિધ સુવિધાઓ ગત વર્ષમાં પ્રાપ્ત થઈ છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સહયોગથી યાત્રિકોને પ્રતિક્ષાલય માટે બાકડાઓ મોબાઇલ લોકર, મંદિર શિખરને લાઇટીંગ ડેકોરેશન તથા ધનરાજ નથવાણી દ્વારા દરેક તહેવારોમાં ખાસ કરીને જન્માષ્ટમી ઉત્સવ સહિતના તહેવારોમાં વિશેષ સુવિધાઓ પ્રાપ્ત થતી રહે છે.