ર૬ જાન્યુઆરીએ પાલનપુર ખાતે DYSP એમ.ડી.પરમારને રાષ્ટ્રપતિ એવૉર્ડથી સન્માનિત કરાશે
અટલ સમાચાર,પાલનપુર આગામી ર૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે થવાની હોવાથી તંત્ર ઘ્વારા બધી જ તૈયારીઓ પુર્ણ કરી દેવાઇ છે. ર૬ જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીના સમયે વિશિષ્ઠ વ્યકિતઓનું સન્માન કરાય છે. તે અંતગર્ત DYSP એમ.ડી.પરમારને રાષ્ટ્રપતિ એવૉર્ડથી સન્માનિત કરાશે. ડીવાયએસપી એમ.ડી.પરમાર મુળ વડગામ તાલુકાના ટાકરવાડા ગામના વતની છે. તેઓ હાલ ગોંડલ ખાતે ડીવાએસપીની ફરજ
Jan 25, 2019, 16:08 IST
અટલ સમાચાર,પાલનપુર
આગામી ર૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે થવાની હોવાથી તંત્ર ઘ્વારા બધી જ તૈયારીઓ પુર્ણ કરી દેવાઇ છે. ર૬ જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણીના સમયે વિશિષ્ઠ વ્યકિતઓનું સન્માન કરાય છે. તે અંતગર્ત DYSP એમ.ડી.પરમારને રાષ્ટ્રપતિ એવૉર્ડથી સન્માનિત કરાશે. ડીવાયએસપી એમ.ડી.પરમાર મુળ વડગામ તાલુકાના ટાકરવાડા ગામના વતની છે. તેઓ હાલ ગોંડલ ખાતે ડીવાએસપીની ફરજ બજાવી રહયા છે. આ પહેલા તે ૧૦ વર્ષ સુધી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સિકયુરીટીમાં હતા. આ સાથે તેઓ વાયબ્રન્ટ ગુજરાતમાં ગાંધીનગર ખાતે ઇન્ચાર્જ તરીકે પણ સેવા આપી રહયા છે.