ભૂકંપ@દાંતીવાડા: મોડી સાંજે ધરા ધ્રુજી, સામાન્ય આંચકો આવતાં ફફડાટ
અટલ સમાચાર,દાંતીવાડા
કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે દાંતીવાડા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા ફફડાટ ફેલાયો છે. પાલનપુરથી ઉત્તર-પશ્વિમ દિશામાં 16 કિલોમીટરે ભૂકંપનું એપી સેન્ટર હોવાનું સામે આવ્યુ છે. દાંતીવાડા તાલુકામાં અવાર-નવાર ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક રહીશોમાં ભયને કારણે અફરાતફરી જોવા મળી હતી. રાત્રે 8:34 કલાકે 2.1ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવ લોકોએ કર્યો હોવાનું સામે આવ્યુ છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા પંથકમાં લોકડાઉન વચ્ચે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે રાત્રે 8:34 કલાકે 2.1ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભયો હતો. પાલનપુરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં 16 કિલોમીટરે ભૂંકપનું એપીસેન્ટર હોવાનું ખુલ્યુ છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પાલનપુરથી ઉત્તર-પશ્ચિમ દિશામાં 16 કિલોમીટરે કરઝા અને ભુતેડી નજીક હોવાનું દાંતીવાડા ઇન્ચાર્જ મામલતદાર વિજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું.