શિક્ષણ@ગુજરાત: ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના ફોર્મ ઉત્તરાયણ બાદ ભરાશે

અટલ સમાચાર ડેસ્ક ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ થયું છે. મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવશે અને મે મહિનામાં પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જે શીડ્યુલ નક્કી કરાયું છે તેનું પાલન થાય તે માટે
 
શિક્ષણ@ગુજરાત: ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના ફોર્મ ઉત્તરાયણ બાદ ભરાશે

અટલ સમાચાર ડેસ્ક

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ થયું છે. મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવશે અને મે મહિનામાં પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જે શીડ્યુલ નક્કી કરાયું છે તેનું પાલન થાય તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં કોઈ ખોટ ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગ અત્યારથી કામે લાગી ગયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 1 ડિસેમ્બરે લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સૌરાષ્ટ્ર પંથકમાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંદાજે 52 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. જોકે હવે 15 ડિસેમ્બર બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે.