મહામારી@કોરોનાઃ લૉકડાઉન ભાગ-2માં, 3 મે સુધી તમામ યાત્રી ટ્રેનો રદ્દ

અટલ સમાચાર, ડેસ્ક એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લૉકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી અને ત્યારબાદ રેલવેએ તમામ યાત્રી રેલ સેવાઓને 3 મે રાત્રે 12 કલાક સુધી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે 3 મે સુધી દેશમાં યાત્રી ટ્રેનો ચાલશે નહીં. રેલવેએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ભારતીય રેલવેની તમામ પ્રીમિયરમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ
 
મહામારી@કોરોનાઃ લૉકડાઉન ભાગ-2માં, 3 મે સુધી તમામ યાત્રી ટ્રેનો રદ્દ

અટલ સમાચાર, ડેસ્ક

એકતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં લૉકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી અને ત્યારબાદ રેલવેએ તમામ યાત્રી રેલ સેવાઓને 3 મે રાત્રે 12 કલાક સુધી રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે 3 મે સુધી દેશમાં યાત્રી ટ્રેનો ચાલશે નહીં. રેલવેએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ભારતીય રેલવેની તમામ પ્રીમિયરમ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેન, પેસેન્જર ટ્રેન, તમામ અર્બન ટ્રેન, કોલકત્તા મેટ્રો રેલ, કોંકણ રેલવે વગેરેની સેવાઓ 3 મેએ રાત્રે 12 કલાક સુધી રદ્દ રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં જારી લૉકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જલદી તેના વિશે ડીટેલમાં જાણકારી આપવામાં આવશે. આ પહેલા 14 એપ્રિલ સુધી રેલવે સેવાઓ બંધ હતી. આશા કરવામાં આવી રહી હતી કે 21 દિવસના લૉકડાઉન બાદ 15 એપ્રિલથી રેલ સેવાઓ શરૂ થઈ શકે છે. આ આશામાં લોકોએ રિઝર્વેશન કરાવી લીધું હતું, પરંતુ હવે ટ્રેન સેવા રદ્દ કરી દેવામાં આવી છે.