મહામારીઃ કોરોનાએ ચિંતા વધારી, 30 દર્દીઓમાં લક્ષણ ના દેખાતા, છતાં રિપોર્ટ પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના નવા કેસોનો રાફડો ફાટી નીકળ્યો હતો. તો અમદાવાદ કોરોનાના જીવતા બોમ્બ જેવુ બની ગયું છે. કારણ કે, ગુરુવારે એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 58 નવા કેસ સામે આવ્યા હતા. કોરોનામાં નવા પ્રકારના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે, પોઝિટિવ આવનાર 30 લોકોમાં
 
મહામારીઃ કોરોનાએ ચિંતા વધારી, 30 દર્દીઓમાં લક્ષણ ના દેખાતા, છતાં રિપોર્ટ પોઝિટિવ

અટલ સમાચાર, ડેસ્ક

ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના નવા કેસોનો રાફડો ફાટી નીકળ્યો હતો. તો અમદાવાદ કોરોનાના જીવતા બોમ્બ જેવુ બની ગયું છે. કારણ કે, ગુરુવારે એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 58 નવા કેસ સામે આવ્યા હતા. કોરોનામાં નવા પ્રકારના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે, પોઝિટિવ આવનાર 30 લોકોમાં કોરાનાના એક પણ લક્ષણો ન દેખાયા છતાં તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે કોરોના વાયરસ હવે દર્દીઓમાં લક્ષણો પણ બતાવતો નથી. આ તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે, રાજ્યમાં symptomatic positive દર્દીઓની સંખ્યા પણ જોવા મળી છે. આ પ્રકારના લક્ષણો પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યાં છે. ખૂબ જ પ્રકારનાં લક્ષણ ન હોવા છતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે. આજના 55 નવા દર્દીઓ આવ્યા છે, તેમાંથી 80% આ પ્રકારના દર્દીઓ હોવાનું આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું હતું. તો સુરતના એક વૃદ્ધ દર્દીને પણ આ જ પ્રકારે લક્ષણો ન દેખાઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જયંતિ રવિએ જણાવ્યું હતું કે, કોન્ટેક્ટ ટેસ્ટીંગ કરતા એવા લોકોમાં કોઇ પણ લક્ષણ ન હોય તેવા લોકો ઇચ્છે તો ઘરે પણ આઈસોલેશનની વ્યવસ્થા કરી શકાશે. પોઝિટિવ દર્દીઓ હોય પણ આવાં લક્ષણ ન દેખાતા હોય તેમને ઘરમાં રહેવાની છૂટ આપવામાં આવી છે. અમેરિકામાં પણ આ પ્રકારે કરવામાં આવ્યું છે જ્યારે હોસ્પિટલોમાં જગ્યા ન હોય ત્યારે અમેરિકામાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગઈકાલે અમદાવાદમાં જે નવા કેસ સામે આવ્યા છે. જેમાં દાણીલીમડાનો શફી મંજિલ વિસ્તાર એપી સેન્ટર રહ્યું હતું. અહીં એક વ્યક્તિને કારણે 30 લોકોને ચેપ લાગ્યો હતો. આ તમામમાં કોરોનાના એકપણ લક્ષણો દેખાયા ન હતા, છતા તમામના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.