મહામારી@ગુજરાતઃ એક જ દિવસમાં 396 નવા કેસ, કુલ મોત 829

અટલ સમાચાર, ડેસ્ક આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાના કુલ 13669 કેસ થઈ ગયા છે. અમદાવાદમાં 24 કલાકમા 277 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કાલે કુલ 396 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં જ કુલ કેસનો આંકડો 10001 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 27 લોકોના મોત નિપજ્યાં છે. તો ગુજરામા
 
મહામારી@ગુજરાતઃ એક જ દિવસમાં 396 નવા કેસ, કુલ મોત 829

અટલ સમાચાર, ડેસ્ક

આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોનાના કુલ 13669 કેસ થઈ ગયા છે. અમદાવાદમાં 24 કલાકમા 277 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કાલે કુલ 396 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં જ કુલ કેસનો આંકડો 10001 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 27 લોકોના મોત નિપજ્યાં છે. તો ગુજરામા રિકવર દર્દીઓ પર નજર કરીએ તો આજે કુલ 289 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં આવેલા આજે કોરોનાના નવા 396 કેસમાંથી એકલા અમદાવાદમાં જ 277 કેસ નોંધાયા છે. અન્ય શહેરોની વાત કરીએ તો, વડોદરામાં 35, સુરતમાં 29, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 8, ગીર સોમનાથમાં 6, અરવલ્લીમાં 5, રાજકોટ-મહેસાણામાં 4, આણંદ-તાપીમાં 3, મહીસાગર-ખેડા-પાટણ-સુરેન્દ્રનગર-અમરેલીમાં 2 અને નવસારી-પોરબંદર-મોરબી 1 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં જિલ્લાવાઈઝ કેસ પર એક નજર કરીએ તો, અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 10,001 થઈ ગયો છે. તો ગુજરાતના અન્ય ત્રણ મોટા શહેરો વડોદરામાં 806, સુરતમાં 1285 અને રાજકોટમાં 87 કેસ થયા છે. તો અન્ય શહેરોમાં ભાવનગરમાં 114, આણંદ 90, ગાંધીનગરમાં 210, પાટણમાં 71, ભરૂચમાં 37, બનાસકાંઠામાં 99, પંચમહાલ 72, અરવલ્લીમાં 98, મહેસાણામાં 99, કચ્છમાં 64, બોટાદમાં 56, ગીર-સોમનાથમાં 44, દાહોદમાં 32, મહીસાગરમાં 79 અને સાબરકાંઠામાં 63 કેસ થયા છે.

રાજ્યમાં કુલ કેસ : 13669
રાજ્યમાં કુલ મોત : 829
રાજ્યમાં કુલ સ્વસ્થ : 6169