કવાયત@બનાસકાંઠા: આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક, કોરોનાને લઇ ચર્ચા થશે

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર કોરોના કહેર વચ્ચે રાજ્યમાં હાલમાં ચાલતું ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ના અભિયાનથી લોકોમાં જાગૃતતા આવી છે. દરરોજ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળે છે. આ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓ અને શહેરોમાં કોરોનની સ્થિતિની સમીક્ષ કરવાનો એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી બનાસકાંઠા જીલ્લાની
 
કવાયત@બનાસકાંઠા: આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક, કોરોનાને લઇ ચર્ચા થશે

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં હાલમાં ચાલતું ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ના અભિયાનથી લોકોમાં જાગૃતતા આવી છે. દરરોજ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળે છે. આ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓ અને શહેરોમાં કોરોનની સ્થિતિની સમીક્ષ કરવાનો એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી બનાસકાંઠા જીલ્લાની મુલાકાત લેવાના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોર ગ્રુપ આવતીકાલે 15 મે 2021ના રોજ સવારે પાલનપુર બનાસકાંઠાની મુલાકાત લેશે છે. આ સાથે આગામે રવિવારે 16મી મે એ સવારે ભાવનગરની મુલાકાત લેવાના છે. મુખ્યમંત્રી આ મુલાકાત અંર્તગત શનિવારે સવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને બનાસકાંઠા જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનું આકલન કરશે. આ સાથે જીલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરી સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, આરોગ્ય અગ્રસચિવ ડો.જયંતિ રવી પણ આ બંને સ્થળોએ મુખ્યમંત્રી સાથે મુલાકાતમાં જોડાશે. કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપ દ્વારા વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી સ્થાનિક પરિસ્થિતિ મુજબ જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવામાં આવે છે.