ફિલ્મજગતઃ ટીવી એક્ટર કુશલ પંજાબીએ આત્મહત્યા કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક ટીવી એક્ટર કુશલ પંજાબીએ આત્મહત્યા કરી છે. ગઈ કાલે રાત્રે ઘરની અંદર તેની લાશ લટકતી જોવા મળી. કુશલ પંજાબીની ઉંમર 37 વર્ષની હતી. તેના આકસ્મિક નિધનના કારણે ટીવી ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સ શોકમાં છે. આજે બપોરે 1 વાગે કુશલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રિપોર્ટ્સ છે કુશલ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. સાથે
 
ફિલ્મજગતઃ ટીવી એક્ટર કુશલ પંજાબીએ આત્મહત્યા કરતાં ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

ટીવી એક્ટર કુશલ પંજાબીએ આત્મહત્યા કરી છે. ગઈ કાલે રાત્રે ઘરની અંદર તેની લાશ લટકતી જોવા મળી. કુશલ પંજાબીની ઉંમર 37 વર્ષની હતી. તેના આકસ્મિક નિધનના કારણે ટીવી ઈન્ડસ્ટ્રી અને તેના ફેન્સ શોકમાં છે. આજે બપોરે 1 વાગે કુશલના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રિપોર્ટ્સ છે કુશલ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. સાથે જ તેની હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ખરાબ થઈ ગઈ હતી.

કુશલ પંજાબીના નિધનની શોકિંગ ખબર એક્ટર કરણવીર બોહરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી. કુશલ અને કરણવીર સારા મિત્રો હતા. કરણવીર બોહરાએ કુશલ પંજાબીની તસ્વીરો શેર કરીને ઈમોશનલ પોસ્ટ લખી છે. તેણે કેપ્શનમાં લખ્યું- ‘તારા નિધનની ખબરે મને ચોંકાવી દીધો છે. ક્યારેય હું આ વાતને ન માની શકુ. મને ખબર છે કે તું જ્યાં પણ હોઈશ ખુશ હોઈશ. જે રીતે તે તારા જીવને જીવ્યું તેણે ઘણી રીતે મને પ્રેરણા આપી છે. પરંતુ મને શું ખબર હતી…’

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

કરણવીર બોહરાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે હું તો આ સમાચાર જાણીને સ્તબ્ધ થઇ ગયો છું કારણ કે કુશલ એક ખુશમિજાજ અને બહુ ઉમદા માણસ હતો. એ કયા માનસિક સંતાપનો શિકાર બન્યો હતો એનો અમને કોઇ અંદાજ નથી. આપઘાત જેવું અંતિમ પગલું એણે કેમ ભર્યું એ મને સમજાતું નથી.

કુશલ 37 વર્ષનો હોનહાર અભિનેતા હતો. કુશલ પોતાની પાછળ માતાપિતા, પત્ની, બહેન અને ચાર વર્ષના પુત્રને રડતો છોડી ગયો હતો. આપઘાતનું કારણ જાણી શકાયું નહોતું