આગાહી@ઉ.ગુ: આજે 2 જીલ્લામાં વાવાઝોડું આવી શકે, 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી આપવામાં આવી છે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાજોડાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે. અટલ
 
આગાહી@ઉ.ગુ: આજે 2 જીલ્લામાં વાવાઝોડું આવી શકે, 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી આપવામાં આવી છે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાજોડાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે 32થી 40 પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી ગરમીથી રાહત મળશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વાવાઝોડું ફુંકાવાની શક્યતા છે. આ આગાહીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે અને તેની સાથે અમદાવાદ,ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે, ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે અને ભારે પવન પણ ફુંકાયા હતા. હજુ આગામી પાંચ દિવસ દરમ્યાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમ્યાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.