ગાંધીનગરઃ 39 શાળાઓમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા કેન્દ્ર રદ થશે, જાણો કેમ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા યોજાયેલી બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિના બનાવો બન્યા હતા. તેવી 39 શાળાઓને ધોરણ 10 અને 12ની પરીક્ષાનું કેન્દ્ર નહીં આપવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ અન્ય શાળાઓમાં આ કેન્દ્રો ફાળવવામાં આવશે અને જો કેન્દ્રો નહીં મળે તો માત્ર બિલ્ડીંગનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ
 
ગાંધીનગરઃ 39 શાળાઓમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા કેન્દ્ર રદ થશે, જાણો કેમ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા યોજાયેલી બિનસચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિના બનાવો બન્યા હતા. તેવી 39 શાળાઓને ધોરણ 10 અને 12ની પરીક્ષાનું કેન્દ્ર નહીં આપવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ અન્ય શાળાઓમાં આ કેન્દ્રો ફાળવવામાં આવશે અને જો કેન્દ્રો નહીં મળે તો માત્ર બિલ્ડીંગનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ શાળાના સ્ટાફની જગ્યાએ બોર્ડ દ્વારા સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે.

પરીક્ષાઓમાં જે શાળાઓમાં ગેરરીતિ થઈ છે તેની યાદી મંગાવી, હજુ વધુ સ્કૂલોના કેન્દ્ર રદ થઈ શકે છે. બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિની પોલીસ તપાસમાં અમદાવાદના દાણીલીમડામાં આવેલ એમ.એસ.પબ્લિક સ્કૂલનું નામ ખુલ્યું છે. અને આ જ શાળામાંથી પેપર લીક થયું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. જેને પગલે શિક્ષણ વિભાગે એમ.એસ. પબ્લિક સ્કૂલને આપવામાં આવેલો ઇન્ડેક્સ નંબર રદ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા એમ.એસ. પબ્લિક સ્કૂલમાં પણ યોજાશે નહીં. તેની સાથે સાથે રાજ્યમાં જે જે શાળાઓમાં જાહેર પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, તે અંગેની તમામ વિગતો પણ શિક્ષણ વિભાગ દ્વારા ગૌણ સેવા મંડળ અને પંચાયત વિભાગ પાસેથી લેખિતમાં મંગાવવામાં આવી છે જેને આધારે બીજી અન્ય શાળાના બોર્ડના પરીક્ષા કેન્દ્રો રદ કરવામાં આવશે.