ગાંધીનગરઃ રાજસ્થાન ફરવા ગયો પરિવાર, કાર તળાવમાં ડૂબતાં 3નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક ગાંધીનગરથી કુંભલગઢ ફરવા આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો રાજસ્થાનના રાજસમંદમાં ઓડા તળાવમાં કાર સહિત ડૂબી ગયા હતા. આ દુર્ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના પરિજનોએ તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન ન લાગ્યો. ત્યારબાદ તેઓએ અમદાવાદમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસને મોબાઇલ ફોનના લોકેશનના આધારે દુર્ઘટનાની જાણકારી
 
ગાંધીનગરઃ રાજસ્થાન ફરવા ગયો પરિવાર, કાર તળાવમાં ડૂબતાં 3નાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગાંધીનગરથી કુંભલગઢ ફરવા આવેલા એક જ પરિવારના ત્રણ સભ્યો રાજસ્થાનના રાજસમંદમાં ઓડા તળાવમાં કાર સહિત ડૂબી ગયા હતા. આ દુર્ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના પરિજનોએ તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન ન લાગ્યો. ત્યારબાદ તેઓએ અમદાવાદમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી. પોલીસને મોબાઇલ ફોનના લોકેશનના આધારે દુર્ઘટનાની જાણકારી મેળવી.

પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, દિવાળીના બીજા દિવસે રોનક અલ્પેશ અને મંથન ગાંધીનગરથી સ્વિફ્ટ કારમાં સવાર થઈને નાથદ્વારા ફરવા રવાના થયા હતા. ત્યાં દર્શન કર્યા બાદ તેઓ ઉદેયપુર ગયા. અહીંથી તેઓ કુંભલગઢ જવા માટે રવાના થયા.

આ દરમિયાન ઓડા તળાવની પાસે તેમની કાર અનિયંત્રિત થઈને તળાવમાં જઈને પડી અને દુર્ઘટના સર્જાઈ. મોડી રાત્રે ઘટનાસ્થળે કેલવાડા અને અમદાવાદ પોલીસની સાથે મોટી સંખ્યામાં ગામના લોકો હાજર હતા. બચાવ ટીમ શબોની શોધખોળમાં લાગી ગઈ હતી. ત્રણેયના મોતના સમાચાર મળતાં જ અમદાવાદથી કેલવાડા પહોંચેલા પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો હતો.