ગૌરવ@રાજકોટ: PM નરેન્દ્રમોદી ચાર દિવસમાં બે વાર ગુજરાતની મુલાકાત લેશ, ગુજરાતીઓને મળશે કરોડોની ભેટ, જાણો કાર્યક્રમ વિગતે

 
નરેન્દ્ર મોદી
વડાપ્રધાન 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.45 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટમાં પૂર્ણ થયેલ એઈમ્સનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાતના નિર્ણય બાદ એઈમ્સના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ AIIMSનું ઉદ્ઘાટન કરશે.

વડાપ્રધાન આવતા સપ્તાહે ચાર દિવસમાં બે રાજ્યોની મુલાકાત લેશે. ગુજરાત ઉપરાંત યુપીનો પ્રવાસ પણ સામેલ છે. આ સાથે સૌરાષ્ટ્રની મોટી માંગ પૂર્ણ થવા જઈ રહી છે. આ સાથે તેઓ દ્વારકામાં બનેલા દેશના સૌથી લાંબા સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે.

પીએમ મોદી બપોરે 1 વાગ્યે મહેસાણામાં જાહેર સભા કરશે અને વિકાસ કામોનું ઉદ્ઘાટન કરશે. PM મોદી સાંજે 4.15 કલાકે નવસારીમાં જાહેર સભા કરશે અને વિકાસ કામોનું લોકાર્પણ કરશે. PM મોદી સાંજે 6.15 વાગ્યે કાકરાપાર ખાતે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ સાઇટનું નિરીક્ષણ કરશે. પીએમ મોદી સુરતથી વારાણસી જવા રવાના થશે અને ત્યારબાદ વારાણસીમાં રાત્રી રોકાણ કરશે. પીએમ મોદી 23મીએ વારાણસીમાં હશે. તેઓ તેમના પ્રવાસમાં 10 વાગ્યા સુધી BHUમાં રહેશે. મધ્યપ્રદેશ સંસ્કૃત સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરશે. આ પછી તે બીજા ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.