ગીરસોમનાથ: લગ્ન કરવા ઇચ્છુક ન હોઇ સગીરાએ અભયમને જાણ કરી, પછી શુ થયુ ?

અટલ સમાચાર, ડેસ્ક ગીર-સોમનાથ જિલ્લાની એક ૧૭ વર્ષની દીકરી છેલ્લા કેટલાક દિવસોથી ચિંતા અને મૂંઝવણમાં હતી. આ સગીરાને લગ્ન કરવા ન હતા અને તેના પરિવારજનો તેના લગ્ન કરી નાખવા ઇચ્છતા હતા. સગીરાનું કંઈ ચાલ્યું નહીં .અંતે એ જ થયું જે સગીરા ઇચ્છતી ન હતી. પરિવારજનોએ લગ્ન નક્કી કરી નાખ્યા. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
ગીરસોમનાથ: લગ્ન કરવા ઇચ્છુક ન હોઇ સગીરાએ અભયમને જાણ કરી, પછી શુ થયુ ?

અટલ સમાચાર, ડેસ્ક

ગીર-સોમનાથ જિલ્લાની એક ૧૭ વર્ષની દીકરી છેલ્લા કેટલાક દિવસોથી ચિંતા અને મૂંઝવણમાં હતી. આ સગીરાને લગ્ન કરવા ન હતા અને તેના પરિવારજનો તેના લગ્ન કરી નાખવા ઇચ્છતા હતા. સગીરાનું કંઈ ચાલ્યું નહીં .અંતે એ જ થયું જે સગીરા ઇચ્છતી ન હતી. પરિવારજનોએ લગ્ન નક્કી કરી નાખ્યા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગીરસોમનાથ જીલ્લામાં ૧૧મી ફેબ્રુઆરીએ સગીરાના લગ્ન હતા. ચિંતાતુર સગીરાને શું કરવું એ કંઈ સૂઝતું ન હતું અને અંતે તેને પોતાને વિચાર આવ્યો કે ગુજરાત સરકારની ૧૮૧ મહિલા અભયમ ની ટીમ તેમને મદદ કરશે. આ યુવતી રડતા રડતા ૧૮૧ ફોન કરે છે કે, ‘મારે હજુ લગ્ન કરવા નથી અને મારા પરિવારજનો મારા લગ્ન કરવા માંગે છે. કંકોત્રી પણ લખાઈ ગઈ છે અને ૧૧મી એ તમે આવજો અને મારા લગ્ન અટકાવી મને મદદ કરજો.’

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગીર સોમનાથની ૧૮૧ ની ટીમના સભ્ય સંતોકબેન અને તેજલ બેને સગીરાને ચિંતા મુક્ત થવાનુ કહીને અમે અત્યારે જ આવીએ છીએ તેમ કહીને તેઓ ૪૫ મિનિટમાં સગીરાના ઘરે પહોંચી ગયા. ઘરે પરિવારજનો ન સમજતા અંતે પોલીસની મદદથી આ બાળ લગ્ન અટકાવી પરીવારજનો અને સૌ કોઈ વચ્ચે સમાધાન કરીને સુમેળ ભર્યા વાતાવરણમાં ૧૮૧ ની મહિલા અભયમ તેમની ટીમ એકાદ કલાકના કાઉન્સિલિંગ બાદ પરત ફરી ત્યારે આ સગીરાના ચહેરા પર સ્મિત હતું. પરિવારજનો કે સગા સંબંધી જે મદદ ન કરી શક્યા તે મદદ ૧૮૧ ટીમે કરતા તેણીએ આ ટીમનો આભાર માન્યો હતો.