અંબાજીની ગોઝારી ઘટના: જિલ્લા પંચાયત સદસ્યએ સહાય ચૂકવવા માંગ કરી

અટલ સમાચાર, જગદીશ શ્રીમાળી-વડગામ વડગામ તાલુકા ની મેમદપુર જિલ્લા પંચાયત ના યુવા અને જાગૃત સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા અકસ્માતનો ભોગ બનેલા ભલગામના સિપાઈ પરિવારજનોને સહાય ચુકવવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી જણાવાયું છે કે અંબાજી નજીક આવેલા ત્રિશૂલીયા ઘાટ પાસે અકસ્માતનો ભોગ બનેલા
 
અંબાજીની ગોઝારી ઘટના: જિલ્લા પંચાયત સદસ્યએ સહાય ચૂકવવા માંગ કરી

અટલ સમાચાર, જગદીશ શ્રીમાળી-વડગામ

વડગામ તાલુકા ની મેમદપુર જિલ્લા પંચાયત ના યુવા અને જાગૃત સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા અકસ્માતનો ભોગ બનેલા ભલગામના સિપાઈ પરિવારજનોને સહાય ચુકવવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી જણાવાયું છે કે અંબાજી નજીક આવેલા ત્રિશૂલીયા ઘાટ પાસે અકસ્માતનો ભોગ બનેલા વડગામ તાલુકાના ભલગામના સિપાઈ પરિવારના ૯ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ ૨૫ થી વધારે ઇજાગ્રસ્ત લોકોને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી તેમજ ગુજરાત સરકાર તરફથી સહાય ચુકવવામાં આવે તેવી સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

ઘટનાના ભોગ બનેલ ભલગામના સિપાઈ પરિવારો અત્યંત ગરીબ છે. જેમાં નવ મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ તેમજ ૨૫થી વધુ ઇજા પામેલ વ્યક્તિઓને સારવારના ખર્ચને પહોંચી વળવા તેઓને પણ તાત્કાલિક આર્થિક સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.