સરકારની અપીલઃ પરપ્રાંતીયો વતન જવા ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી
 
સરકારની અપીલઃ પરપ્રાંતીયો વતન જવા ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે.

ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર જવા અંગે તેમણે જણાવ્યું કે, ગઈકાલે સુરતમાં રત્નકલાકારો જે મોટાભાગે સૌરાષ્ટ્રના છે તેમને પણ પોતાના વતનમાં જવા દેવાની લાગણી હતી. જેમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કિશોરભાઈ કાલાણીના અધ્યક્ષસ્થાને એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી બોટાદ, અમરેલી, ભાવનગર અને રસ્તામાં આવતા બીજા વિસ્તારોનું સંકલન કરીને રત્નકલાકારોને પોતાના વતનમાં મોકલશે. પરંતુ એક કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી બીજા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં જવાની પરવાનગી નહિ આપવામાં આવે. જવા માટે સુરતના રત્ન કલાકારોએ કલેક્ટર કચેરીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સુરતથી જે લોકો જવા માગતા હશે તે તમામનું સ્કેનિંગ કરીને મંજૂરી આપવામાં આવશે. તેમના આરોગ્યની ચકાસણી કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે. જે લોકોમાં લક્ષણો હશે તે લોકોને બાજુમાં સારવાર માટે લઇને જવા દેવામાં આવશે, જેઓ લક્ષણ નહીં હોય તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. ૧૪ દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરાશે. પરંતુ એકવાર ગયા પછી તેઓએ 45 દિવસ સુધી એક જ જગ્યાએ રહેવાનું રહેશે.