ગુજરાતઃ 24 કલાકમાં કોરોના વાયરસના 518 કેસ નોંધાયા, 704 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 518 કેસ નોંધાયા છે. જેની સામે 704 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4365 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.79 ટકા છે. (ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં
 
ગુજરાતઃ 24 કલાકમાં કોરોના વાયરસના 518 કેસ નોંધાયા, 704 દર્દીઓ સાજા થયા

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 518 કેસ નોંધાયા છે. જેની સામે 704 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 2 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4365 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.79 ટકા છે. (ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 99, સુરતમાં 86, વડોદરામાં 89, રાજકોટમાં 76, જામનગરમાં 17, કચ્છમાં 16, જૂનાગઢ, ગાંધીનગરમાં 15, મહેસાણામાં 14-14, ભરુચમાં 10, દાહોદ, ગીર સોમનાથમાં 9-9 સહિત કુલ 518 કેસ નોંધાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના કારણે 2 દર્દીઓના મોત થયા છે. બંને મોત અમદાવાદમાં થયો છે. બીજી તરફ અમદાવાદમાં 176, સુરતમાં 132, વડોદરામાં 66, રાજકોટમાં 172, સાબરકાંઠામાં 19, જામનગરમાં 17 સહિત 704 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. ગુજરાતમાં અત્યારે કુલ 6400 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 56 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6347 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,45,107 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.