ગુજરાતમાં ભૂકંપના આંચકા, સવારે 8ઃ30 થી બપોર સુધીમાં 9 આંચકા
અટલ સમાચાર, અમદાવાદ ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપના નવ જેટલા આંચકા અનુભવાયા છે. રાજ્યના અલગ-અલગ ત્રણ જિલ્લાઓમાં આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકાઓ સવારે 8.20 વાગ્યાથી બપોરના 2.00 વાગ્યા સુધી અનુભવાયા હતા. સવારે આઠ વાગ્યે 2.0ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો. તો ગીર-સોમનાથમાં બપોરે 2.12 વાગ્યે 1.7ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું. કચ્છના રાપરમાં બે,
Dec 18, 2018, 17:32 IST

અટલ સમાચાર, અમદાવાદ
ગુજરાતમાં એક જ દિવસમાં ભૂકંપના નવ જેટલા આંચકા અનુભવાયા છે. રાજ્યના અલગ-અલગ ત્રણ જિલ્લાઓમાં આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકાઓ સવારે 8.20 વાગ્યાથી બપોરના 2.00 વાગ્યા સુધી અનુભવાયા હતા. સવારે આઠ વાગ્યે 2.0ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો. તો ગીર-સોમનાથમાં બપોરે 2.12 વાગ્યે 1.7ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું.
કચ્છના રાપરમાં બે, ભચાઉમાં ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો. જોકે, આ ભૂકંપના તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હતી. જેના લીધે મોટાભાગના લોકોને તેની જાણ થઈ ન હતી. 2001માં ભૂકંપથી બરબાદ થઈ ગયેલા કચ્છમાં પણ આજે ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. કચ્છના રાપરમાં બે અને ભચાઉમાં ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો.
ભૂકંપના તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હતી, જેના કારણે મોટાભાગના કેસમાં લોકોને તેની ખબર પડી ન હતી. 14મી ડિસેમ્બરના રોજ સુરત અને આજબાજુના વિસ્તારમાં રાત્રે 8.45 કલાકે ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. રિક્ટરસ્કેલ પર 3.5નો આંચકો નોધાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર સુરતથી 20 કિલોમીટર દૂર નોધાયું હતું.