ગુજરાત: લોકડાઉનમાં છુટછાટ મળતાં કેરીની આવકમાં વધારો, જાણો શું છે ભાવ ?

અટલ સમાચાર,ડેસ્ક જૂનાગઢમાં લોકડાઉનમાં છુટછાટની અસર જોવા મળી રહી છે અને યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે યાર્ડમાં 3000 બોક્સની આવક થઈ હતી અને 300થી 700 રૂપીયા જેવો પ્રતિ બોક્સનો ભાવ રહ્યો હતો. યાર્ડમાં કેસર કેરીની સાથે હાફુસ કેરીની પણ આવક જોવા મળી રહી છે. જો કે મજુરો નહીં મળવાને કારણે બગીચા
 
ગુજરાત: લોકડાઉનમાં છુટછાટ મળતાં કેરીની આવકમાં વધારો, જાણો શું છે ભાવ ?

અટલ સમાચાર,ડેસ્ક

જૂનાગઢમાં લોકડાઉનમાં છુટછાટની અસર જોવા મળી રહી છે અને યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે યાર્ડમાં 3000 બોક્સની આવક થઈ હતી અને 300થી 700 રૂપીયા જેવો પ્રતિ બોક્સનો ભાવ રહ્યો હતો. યાર્ડમાં કેસર કેરીની સાથે હાફુસ કેરીની પણ આવક જોવા મળી રહી છે. જો કે મજુરો નહીં મળવાને કારણે બગીચા થી યાર્ડ સુધી કેરી પહોંચાડવામાં ઈજારેદારોને મુશ્કેલી પડી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જૂનાગઢ સબયાર્ડમાં કેરીના 3000 બોક્સની આાવક થઈ હતી અને 300 થી 700 રૂપીયા પ્રતિ બોક્સ જેવો ભાવ રહ્યો હતો. લોકડાઉનમાં મળેલી છુટછાટને લઈને કેરીની આવકમાં વધારો થયો છે અને હજુ પણ આવતાં દિવસોમાં આવક વધશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. જો કે બગીચામાંથી કેરી ઉતારવા માટે મજુરો નહીં મળવાને કારણે બગીચાનો ઈજારો રાખનાર વેપારીઓને હજુ મુશ્કેલી વેઠવી પડે છે જેને લઈને તેમને થોડી નુકશાની પણ ભોગવવી પડે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કેરીની વધતી આવક સ્વાદ રસિકો માટે આનંદની વાત છે પરંતુ લોકડાઉનની સ્થિતિમાં આવક અને પુરતા ભાવને લઈને જે અસમંજસની સ્થિતિ છે તેને લઈને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. વર્ષમાં એક જ વખત ખાવા મળતી અને ફળોનો રાજા ગણાતી કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનને કારણે કેરીની આવક પર અસર પડી હતી પરંતુ 3 મે પછી લોકડાઉનમાં મળેલી છુટછાટને લઈને કેરીની આવકમાં ઉછાળો જોવા મળ્યો હતો.