ગુજરાતઃ વ્યાજખોરોનાં આતંકથી રત્નકલાકાર યુવાને ઝેરી દવા ગટગટાવી

અટલ સમાચાર, ડેસ્ક અમદાવાદનાં ઠક્કરબાપાનગરમાં રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી છે. આ યુવાનએ પોલીસ ફરિયાદ કરી છે કે, તે હીરાવાડી ખાતે હીરા ઘસવાનું કામ કરે છે. તેણે આજથી બે મહિના પહેલા ગોપાલ ભરવાડ પાસેથી 30 હજાર, રાજભા પાસેથી 10 હજાર, જય ભવાનીનાં માલિક પાસેથી 30 હજાર, વી.ડી.કાકા પાસેથી 20 હજાર, ઝાલાબાપુ પાસેથી
 
ગુજરાતઃ વ્યાજખોરોનાં આતંકથી રત્નકલાકાર યુવાને ઝેરી દવા ગટગટાવી

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદનાં ઠક્કરબાપાનગરમાં રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી છે. આ યુવાનએ પોલીસ ફરિયાદ કરી છે કે, તે હીરાવાડી ખાતે હીરા ઘસવાનું કામ કરે છે. તેણે આજથી બે મહિના પહેલા ગોપાલ ભરવાડ પાસેથી 30 હજાર, રાજભા પાસેથી 10 હજાર, જય ભવાનીનાં માલિક પાસેથી 30 હજાર, વી.ડી.કાકા પાસેથી 20 હજાર, ઝાલાબાપુ પાસેથી 10 હજાર અને જય ચેહર ઓફિસનાં માલિક પાસેથી 10 હજાર રૂપિયા વ્યાજે લીધા હતાં.

ગુજરાતઃ વ્યાજખોરોનાં આતંકથી રત્નકલાકાર યુવાને ઝેરી દવા ગટગટાવી

હીરાબજારમાં મંદી આવતા પગાર સમયસર ન થતાં તે આ વ્યાજખોરોને રૂપિયા સમયસર પરત આપી શક્યો ન હતો. જેથી કેટલાક વ્યાજખોરો છેલ્લા પંદર દિવસથી વારંવાર તેની પાસે પૈસાની ઉઘરાણી કરતા હતાં. તેઓ 20થી 30 ટકા લેખે વ્યાજની માંગણી કરતા હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જો પૈસા પરત ન કરે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતા હતાં. જેથી કંટાળીને યુવાનએ 23મી જાન્યુઆરીએ સાંજના સમયે ઝેરી દવા ખાઇ લીધી હતી. પરિવારજનોને જાણ થતાં જ યુવાનને સારાવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસે ફરિયાદ નોંધીને હાલમાં વધુ તપાસ શરૂ કરી છે.