ગુજરાત: PM-KISAN યોજનામાં 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને લાભ મળ્યો
અટલ સમાચાર,ડેસ્ક રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકાર જગતના તાત એવા ખેડૂતોની પડખે ઉભી રહેલી જોવા મળી. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારોના બેંક એકાઉન્ટમાં એડવાન્સમાં બે હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. અને રાજ્યના 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ લાભ મળ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પ્રધાનમંત્રી
Apr 7, 2020, 16:13 IST
અટલ સમાચાર,ડેસ્ક
રાજ્યભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકાર જગતના તાત એવા ખેડૂતોની પડખે ઉભી રહેલી જોવા મળી. પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારોના બેંક એકાઉન્ટમાં એડવાન્સમાં બે હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. અને રાજ્યના 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ લાભ મળ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં આવા 40 લાખ થી પેટે કુલ 800 કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમાં કરાવી છે. કેન્દ્રની આ યોજના અંતર્ગત દેશના દરેક ખેડૂત ખાતેદારને વર્ષમાં દરમ્યાન 3 હપ્તામાં પ્રત્યેક ખેડૂતને કુલ છ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે. દેશભરમાં 4 કરોડ 91 લાખ ખેડૂત ખાતેદારોને રાહત આપતા 2000 રૂપિયાના પ્રથમ હપ્તા લેખે કુલ 62 હજાર કરોડની સહાય રકમ આપવામાં આવી રહી છે.