ગુજરાતમાં કઇ-કઇ જ્ઞાતિઓને ૧૦ ટકા અનામતનો લાભ મળી શકે ?

અટલ સમાચાર,ડેસ્ક સોમવારે કેન્દ્રીય કેબિનેટમાં મોદી સરકારે લોકસભા ચુંટણી પહેલા મોટો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાંક સમયથી નારાજ સર્વણોને મનાવવા પાર્ટી અને સરકાર લેવલે ચાલી રહેલી મથામણનો નિચોડ આવ્યો છે. જેમાં સવર્ણોને 10 ટકા અનામત આપવા નકકી કરવામાં આવ્યું છે. હકીકતે અનામત આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે. આવો જાણીએ ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓના લોકોને ૧૦
 
ગુજરાતમાં કઇ-કઇ જ્ઞાતિઓને ૧૦ ટકા અનામતનો લાભ મળી શકે ?

અટલ સમાચાર,ડેસ્ક

સોમવારે કેન્દ્રીય કેબિનેટમાં મોદી સરકારે લોકસભા ચુંટણી પહેલા મોટો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાંક સમયથી નારાજ સર્વણોને મનાવવા પાર્ટી અને સરકાર લેવલે ચાલી રહેલી મથામણનો નિચોડ આવ્યો છે. જેમાં સવર્ણોને 10 ટકા અનામત આપવા નકકી કરવામાં આવ્યું છે. હકીકતે અનામત આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે. આવો જાણીએ ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓના લોકોને ૧૦ ટકા અનામતનો લાભ મળે તેમ છે.

નાગર બ્રાહ્મણ,વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, ઔદિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત- રજપૂત, ક્ષત્રિય, વાણિયા- વૈષ્ણવ શાહ, ભાટિયા, ભાવસાર, ભાવસાર(જૈન), બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, ન્યાયેતર જાતિ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), પૂજારા, કેર, ખડાયતા, ખત્રી, કળબી- કણબી, લેઉવા પાટીદાર- પટેલ, કડવા પાટીદાર- પટેલ,

લાડ વાણિયા, શ્વેતાંબર જૈન વાણિયા, દિગંબર જૈન વાણિયા, લોહાણા- લવાણા- લુહાણા, મંડાલી, મણિયાર, મરાઠા રાજપૂત (મુળે ગુજરાતમાં સ્થાયી થયેલા), મહારાષ્ટ્રિયન (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા), દશા- વીસા જૈન, પોરવાલ જૈન, સોમપુરા- સોમપુરા બ્રાહ્મણ (ઘંટિયા સલાટ સિવાયના), સોની- સોનાર- સુવર્ણકાર, સિંધી (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે)

સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા (મુસ્લિમ), અલવી વોરા(મુસ્લિમ), દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી (મુસ્લિમ), કાઝી, ખોજા, મલિક (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે), મેમણ, મોગલ, મોલેસલામ ગરાસિયા, મોમિન (પટેલ), પટેલ (મુસ્લિમ), પઠાણ, કુરેશી (સૈયદ), સમા, શેખ (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે), વ્યાપારી (મુસ્લિમ), અત્તરવાલા, પારસી, ખ્રિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતંરિત થયેલી નથી ), યહૂદી પૈકીના આર્થિક રીતે નબળા પરિવારો કેન્દ્રના ૧૦ ટકા અનામતના સમાવેશ પામી શકે છે.