ગુજરાત: તસ્કરોએ ટ્રેન ઉપર ફેંકયો લોખંડનો દરવાજો, સદનસીબે જાનહાની ટળી

અટલ સમાચાર, ડેસ્ક દાહોદમાં મોડી રાત્રે તસ્કરોએ રાજધાની એક્સપ્રેસ સામે ટ્રેક ઉપર લોખંડનો દરવાજો ફેંક્યો હતો. જો કે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. ટ્રેન અથડાતા લોખંડના દરવાજો અડધો કિ.મી સુધી ઘસડાયો હતો. જેના કારણએ 15 મિનિટ ટ્રેન રોકી એન્જીનની ચકાસણી કર્યા બાદ ટ્રેન રવાના કરાઈ હતી. જો કે, ઘટનાની જાણ થતા જ સ્થળે રેલવેના અધિકારીઓ
 
ગુજરાત: તસ્કરોએ ટ્રેન ઉપર ફેંકયો લોખંડનો દરવાજો, સદનસીબે જાનહાની ટળી

અટલ સમાચાર, ડેસ્ક

દાહોદમાં મોડી રાત્રે તસ્કરોએ રાજધાની એક્સપ્રેસ સામે ટ્રેક ઉપર લોખંડનો દરવાજો ફેંક્યો હતો. જો કે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. ટ્રેન અથડાતા લોખંડના દરવાજો અડધો કિ.મી સુધી ઘસડાયો હતો. જેના કારણએ 15 મિનિટ ટ્રેન રોકી એન્જીનની ચકાસણી કર્યા બાદ ટ્રેન રવાના કરાઈ હતી. જો કે, ઘટનાની જાણ થતા જ સ્થળે રેલવેના અધિકારીઓ અને RPF પોલીસનો કાફલો ઘસી આવ્યો હતો.

ગુજરાત: તસ્કરોએ ટ્રેન ઉપર ફેંકયો લોખંડનો દરવાજો, સદનસીબે જાનહાની ટળી

પ્રાપ્ત માહિત અનુસાર, દાહોદ શેહરમાં રેલવે ટ્રેક પાસે આવેલી સોસાયટીમાં એક ઘર આગળ પડેલા લોખંડના દરવાજાની ચોરી કરવા ચોર ઘૂસ્યા હતા. તે દરમિયાન ઘર માલિક આવી જતા ચોરો દરવાજો ઉંચકીને ભાગ્યા હતા. જો કે, ઘર માલિકે પીછો કરતા ચોરો દરવાજા સાથે રેલવે ટ્રેક તરફ ભાગ્યા હતા. તસ્કરો રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે સામેના ભાગેથી મુંબઇ તરફ જતી રાજધાની ટ્રેન આવી જતા ટ્રેન સામે દરવાજો ફેંકી તસ્કરો નાસી છુટ્યા હતા. ટ્રેનના એન્જીનનો આગળનો ભાગ ધડાકા સાથે દરવાજાના બે ટુકડા થઇ ગયા હતા અને એક નાનો ટુકડો એન્જીનના આગળના ભાગે ફસાઇને અડધો કિમી સુધી ઘસડાયો હતો.

ગુજરાત: તસ્કરોએ ટ્રેન ઉપર ફેંકયો લોખંડનો દરવાજો, સદનસીબે જાનહાની ટળી