ગુજરાત: આ વિશ્વપ્રસિદ્ધ મંદિરે અતિથિગૃહને આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધું

અટલ સમાચાર,ડેસ્ક ગુજરાતમાં હનુમાનજીના મંદિરની વાત આવે એટલે કષ્ટભંજન હનુમાન મંદિર સાળંગપુર, બોટાદ જ યાદ આવે. ગુજરાતમાં આવેલા હનુમાનજીના આ મંદિરની ધર્મશાળામાં કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. આ મંદિરમાં ભક્તોના કષ્ટોને દૂર કરવા માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. મંદિરમાંથી મળતી માહિતી અનુસાર સંકટની આ ઘડીમાં મંદિરની ધર્મશાળામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. અટલ
 
ગુજરાત: આ વિશ્વપ્રસિદ્ધ મંદિરે અતિથિગૃહને આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધું

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાતમાં હનુમાનજીના મંદિરની વાત આવે એટલે કષ્ટભંજન હનુમાન મંદિર સાળંગપુર, બોટાદ જ યાદ આવે. ગુજરાતમાં આવેલા હનુમાનજીના આ મંદિરની ધર્મશાળામાં કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. આ મંદિરમાં ભક્તોના કષ્ટોને દૂર કરવા માટે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. મંદિરમાંથી મળતી માહિતી અનુસાર સંકટની આ ઘડીમાં મંદિરની ધર્મશાળામાં 100 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત: આ વિશ્વપ્રસિદ્ધ મંદિરે અતિથિગૃહને આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધું

મંદિરમાંથી મળતી માહિતી અનુસાર અતિથિ ગૃહને 100 બેડ અને 50 રૂમના વોર્ડમાં બદલવામાં આવી છે. અહીં 10 આઈસીયૂ બેડ, ઓપીડી, ડોક્ટર્સ રૂમ, સ્ટાફ રૂમ, ઓક્સીજન સપ્લાય, 5 વેન્ટીલેટર્સ અને 45 આઈસોલેશન વોર્ડની સુવિધા આપવામાં આવશે. મંદિર છેલ્લા કેટલાક સમયથી અનેક જરૂરિયાતવાળા લોકોને ખાવા પીવાની ચીજો પણ આપી રહ્યું છે.

ગુજરાત: આ વિશ્વપ્રસિદ્ધ મંદિરે અતિથિગૃહને આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધું

મંદિરને વિશે એક અનોખી માન્યતા છે. કહેવાય છે કે પ્રાચીન કાળમાં જ્યારે શનિદેવનો પ્રકોપ વધ્યો ત્યારે દુઃખી ભક્તોએ હનુમાનજીને પ્રાર્થના કરી. ભક્તોની પ્રાર્થના સાંભળીને શનિદેવને ગુસ્સો આવ્યો અને તેઓએ દંડ આપવાનું નક્કી કર્યું. શનિદેવને ખ્યાલ આવ્યો કે હનુમાનજીના પ્રકોપથી પોતાને બચાવવા માટે વિચારવા લાગ્યો. હનુમાનજીના આ મંદિરમાં હનુમાનજીના ચરણોમાં સ્ત્રીરૂપમાં બિરાજમાન છે. ભક્તો અહીં દર્શન માટે દૂર દૂરથી આવે છે. ભક્ત પોતાના દુઃખની હનુમાનજી પાસે અરજી કરે છે. બજરંગબલી તેમના કષ્ટ દૂર કરે છે. માટે જ આ મંદિરને કષ્ટભંજન હનુમાનજીના નામે ઓળખાય છે.