ચોમાસુઃ ગત 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ વરસાદ વલસાડમાં ખાબક્યો

 ડેમની હાલની જળ સપાટી 596.65 ફૂટ થઈ ગઇ છે. ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. ડેમમાં ઉપરવાસમાં વરસાદી પાણીની આવક 8888 ક્યુસેક નોંધાઇ છે. જેના લીધે ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો 28.73% થયો છે. 
 
વરસાદ

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો દૌર શરૂ થઇ ગયો છે. ગત 24 કલાકમાં રાજ્યના 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 27 તાલુકામાં 1000 મી.મીથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે 58 તાલુકામાં 500 થી 1000 મી.મી અને 98 તાલુકામાં 251 થી 500 મી.મી, 57 તાલુકામાં 126 થી 250, 11 તાલુકામાં 51-125 મી.મી વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ વલસાડના કપરડામાં ખાબક્યો હતો. જ્યારે સિઝનનો કુલ વરસાદ 59.86 ટકા નોંધાયો છે. જોકે આગામી 24 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વેધર વોચ કમિટીની બેઠકમાં કરવામાં આવી છે.

આજે મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેના પગલે મહેસાણા જિલ્લા કલેકટરની જિલ્લા વાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. જિલ્લા કલેકટરે જિલ્લા ડીઝાસ્ટરના રાહત કામગીરી માટે નંબર જાહેર કરવામાં આવ્યા છે. 02762 222220/222299 અથવા ટોલ ફ્રી નંબર 1077 નંબર જાહેર કરવામાં આવ્યા છે. 

  અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

આ ઉપરાંત મહેસાણાના ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકમાં વધારો થયો છે.  ડેમની હાલની જળ સપાટી 596.65 ફૂટ થઈ ગઇ છે. ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. ડેમમાં ઉપરવાસમાં વરસાદી પાણીની આવક 8888 ક્યુસેક નોંધાઇ છે. જેના લીધે ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો 28.73% થયો છે. 

રાહત કમિશનર પી.સ્વરૂપે કહ્યું હતું કે હવામાન વિભાગની આગહી મુજબ આગામી 24 કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૮.૩૨ ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં ૩૬.૬૨૫ ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૫,૪૧,૭૦૬ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની ૧૩ ટીમ અને વિવિધ ૧૬ જિલ્લાઓમાં SDRFની ૨૧ પ્લાટૂન તહેનાત છે.

રાહત કમિશનરે વધુમાં કહ્યું હતું કે પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વીજળી, કેશડોલ્સ વિતરણ, પાણી વિતરણ અને રસ્તાઓ શરૂ કરવાની તેમજ પશુ સર્વેની કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મકાન સર્વે, સાફ સફાઇ, આરોગ્ય, ગટર સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે. તેમણે કહ્યું હતું કે નવસારી જિલ્લામાં આશ્રયસ્થાનમાં આશરો લઇ રહેલા તમામ નાગરિકો સલામત રીતે સ્વગૃહે પરત ફર્યા છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત તમામ નાગરિકોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લામાં પુનર્વસનની કામગીરીમાં વધુ ઝડપ આવે તે માટે આરોગ્ય, સફાઇ, કૃષિ, મકાન અને ઘરવખરી સહિતના સર્વે માટે અંદાજે કુલ ૧૦૨૬ ટીમો કાર્યરત છે તેમ રાહત કમિશનre વિગતો આપતાં ઉમેર્યુ હતું. રાહત કમિશનરશ્રીએ સમગ્ર વહીવટી તંત્ર, NDRF, SDRF, કોસ્ટગાર્ડ, હવાઇદળ અને સ્થાનિકોના સહયોગથી કરાયેલી બચાવ અને પુનર્વસનની કામગીરીની પ્રશંસા કરી તમામનો આભાર માન્યો હતો.