દુર્ઘટના@નવસારી: આલીપોર બ્રિજ પર દર્દનાક અકસ્માત, 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત

 
Navsari

અટલ સમાચાર, ડેસ્ક

નવસારીના ચીખલી નજીકના આલીપોર બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આલીપોર બ્રીજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજયા હતા. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ પીડિતોને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ સંપૂર્ણ ઘટનાની જાણ પોલીસને થતા નવસારીના DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો. હાલ ચીખલી પોલીસે આલીપોર બ્રિજ પર થયેલા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ONGC ચાર રસ્તા પાસે ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જવાની ઘટના સામે આવી હતી. સુરત શહેરમાં ગઈકાલે મોડી રાતે ONGC ચાર રસ્તા પાસે હજીરા તરફ જતા અને બ્રિજ ચઢતા નજીક ડમ્પર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા. જોકે આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કન્ટેનરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પરંતુ ડ્રાઇવર કન્ટેનરમાં ફસાઈ ગયો હતો.

અંતે તેને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. જેથી શહેરની પાલનપુર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બીજી બાજું ડમ્પર ચાલાક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને પણ 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઇચ્છાપોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.