ગુજરાતઃ ધમાકેદાર વરસાદ વચ્ચે કોરોના વાયરસના ધોધમાર કેસ નોંધાયા, 24 કલાકમાં 822 કેસ

બીજી તરફ 612 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.76 ટકા નોંધાયા હતા. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે રાજ્યમાં એકપણ વ્યક્તિનું મોત નોંધાયું નથી.
 
coronavirus-2

અટલ સમાચાર, ડેસ્ક


સમગ્ર ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. આજે રવિવારે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 822 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા હતા. બીજી તરફ 612 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.76 ટકા નોંધાયા હતા.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 15 જુલાઈ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 822 કોરોના કેસ નોંધાયા હતા.બીજી તરફ 612 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.76 ટકા નોંધાયા હતા. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે રાજ્યમાં એકપણ વ્યક્તિનું મોત નોંધાયું નથી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
વરસાદી પાણી વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 298, સુરત કોર્પોરેશનમાં 73, વડોદરા કોર્પોરેશનમાં 56, ભાવનગર કોર્પોરેશનમાં 30, ગાંધીનગર કોર્પોરેશનમાં 32, મહેસાણામાં 41, સુરતમાં 19, રાજકોટ 30, વડોદરામાં 22, કચ્છ 18 કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત ભરૂચમાં 12, અમરેલીમાં 14, આણંદમાં 7,પાટણમાં 6, જામનગર કોર્પોરેશનમાં 2, કચ્છમાં 4, પોરબંદરમાં 2, સાબરકાંઠા 10, મોરબી 11, બનાસકાંઠા 7, દેવભુમિ દ્વારકા 7, ખેડા 6, નવસારી 5, સુરેન્દ્રનગર 5, અરવલ્લી 4, તાપી 4 કેસ નોંધાયા છે.રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 4482 એક્ટીવ કેસ છે જે પૈકી 3 વેન્ટીલેટર ઉપર જ્યાર 4479 સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં 14,800 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.