ચકચાર@કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાર્જિગમાં મૂકેલી રિક્ષાઓ ભસ્મીભૂત, મચી ગઇ દોડધામ

 
Sou

અટલ સમાચાર, ડેસ્ક

આજે સવારે કેવડિયા SOU એકતાનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, કેવડિયા SOU એકતાનગરમાં ગુરૂવારે ચાર્જીગમાં મુકેલી 20 ઇ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે. SOU સત્તામંડળ દ્વારા હાઈવોલ્ટેજ કે બેટરી ફાટવા સહિતના ક્યાં કારણોસર ઘટના ઘટી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. 

Sou

SOU પરિસર બંધ થયા બાદ બુધવારે રાતે ચાર્જિગ સ્ટેશન ઉપર એક સાથે 20 ઇ-રીક્ષા ચાર્જ થવા મૂકી હતી. ગુરુવારે આશરે 3 થી વાગ્યાના સુમારે એકાએક આ રીક્ષા સળગવા લાગી હતી. અને જોતજોતામાં ચાર્જ થઈ રહેલી તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. એકસાથે 20 રીક્ષા સળગી ઉઠવાની જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સત્તામંડળ અને ફાયર બ્રિગેડ સહિત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. હાલ તો હાઈ વોલ્ટેજના કારણે ચાર્જમાં મુકેલી રીક્ષા બળીને રાખ થઈ ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચાર્જિંગના લીધે ઘટના બની તેની તપાસ કરી રહી છે.  

નોંધનિય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા SOU હાલના એકતાનગર ને દેશની પેહલી ગ્રીન અને ઇલેક્ટ્રિક શહેર જાહેર કર્યું હતું. STATUE of UNITY સતા મંડળ દ્વારા આ અંગે વર્કશોપ, સર્વિસ સ્ટેશન બનાવી મહિલાઓને પિંક ઇ-રીક્ષા ચલાવવાની તાલીમ પણ અપાઈ હતી. બાદ કવિક અને હાઈ વોલ્ટેજ ચાર્જના ઇ-સ્ટેશનો પણ ઠેર ઠેર સ્થાપિત કરી તબક્કાવાર SOU કેવડિયામાં 25 - 25 કરી ઇ-રિક્ષાઓ પ્રવાસીઓ માટે દોડતી કરવામાં આવી હતી. જે પિંક રીક્ષા મહિલાઓ જ ચલાવી રહી છે. આજે કેવડિયા ઇસિટી માં 100 થી વધુ ઇ-રીક્ષા પ્રવાસીઓ માટે દોડી રહી છે.