ઉત્તર ગુજરાતઃ સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઇપલાઇન માટે 1566.25 કરોડો રૂપિયાના કામોને સરકારે મંજૂરી આપી

બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઈવાળા ગામોની 20 હજાર હેક્ટર જમીનોને સિંચાઈનો લાભ અપાસે ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન યોજનાનો લાભ વડગામ તાલુકાનાં 24 ગામોનાં 33 તળાવો તેમ જ પાટણ અને સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોનાં 9 તળાવોને મળતો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેય યોજનાઓના કામોને તાત્કાલિક વહીવટી મંજૂરી આપતાં હવે યોજનાકીય કામોમાં વેગ આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ન આ જનહિતકારી અભિગમથી રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા બનાસકાંઠામાં પીવાના તેમ જ સિંચાઈ માટેના પાણીની ચિંતાનો ઉકેલ આવી જશે.
ઉત્તર ગુજરાતના 135 ગામોના પશુપાલકો માટે સરકારનું મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત કસરા-દાંતીવાડા પાઇપલાઇન માટે 1566.25 કરોડો રૂપિયાના કામોને સરકારે મંજૂરી આપી છે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઇપલાઇન માટે 192 કરોડની મંજૂરી આપી છે. જેમાં દાંતીવાડામાં 77 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાંખવામાં આવશે અને 3000 ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના 74 ગામોના 156 તળાવો ભરવામાં આવશે. 33 કિલોમીટરની લંબાઇની ડીંડરોલ મુક્તેશ્વરમાં પાણી વહન કરાશે. જેનો લાભ વડગામ તાલુકાના 24 ગામના 33 તળાવોને મળશે. મુખ્યમંત્રી વહીવટી તંત્રની મંજૂરી આપતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.
1566.25 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતનાં 135 ગામોના ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનોને સિંચાઈના અને પીવાનાં પાણી પહોંચાડવાનો નિર્ણય લેવામા આવ્યો છે. સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના 192 કરોડ રૂપિયાનાં કામો મંજૂર કર્યાં છે. મુખ્યમંત્રીએ પાલનપુર અને વડગામ તાલુકાની ગ્રામીણ જનતા જનાર્દનની લોકલાગણી અને માગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.નર્મદા મુખ્ય નહેરની સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠાના પૂર્વ વિસ્તારોમાં સિંચાઈની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી થશે. કસરા-દાંતીવાડા 77 કિલોમીટર લંબાઈની પાઈપલાઈન દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી 300 ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠાના 4 તાલુકાના 73 ગામોનાં 156 તળાવો નર્મદાજળથી ભરાશે. પાટણ જિલ્લાના બે તાલુકાના 33 ગામોનાં 96 તળાવો ભરવામાં આવશે. આ તળાવો નર્મદાજળથી ભરવામાં આવતાં આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે. 30 હજારથી વધુ ગ્રામીણ ખેડૂત પરિવારોને સિંચાઈ માટે પશુધન માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે.
ડીંડરોલ મુક્તેશ્વર જળાશય પાઈપલાઈનના 192 કરોડના કામોને પણ મંજૂરી
આ ઉપરાંત ડીંડરોલ મુક્તેશ્વર જળાશય પાઈપલાઈનના રૂપિયા 192 કરોડના કામોને પણ મંજૂરી આપી છે. 33 કિલોમીટર લંબાઈની આ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન દ્વારા 100 ક્યુસેક પાણી વહન કરાશે. નર્મદાનું આ પાણી મુક્તેશ્વર ડેમમાં નાખવામાં આવશે. જેથી લાંબા સમયથી સૂકા રહેલા જળાશયમાં પાણી મળશે.