ગુજરાતઃ કોરોનાના કેસમાં સતત વધારો, નવા 225 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ દર્દીઓ

આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 78261 ડોઝ અપાયા હતા.
 
korona

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કુલ કેસનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 225 કેસ નોંધાયા છે. બીજી તરફ 141 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 118 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 78261 ડોઝ અપાયા હતા.


  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 118 કેસ, વડોદરા શહેરમાં 25 કેસ, સુરત શહેરમાં 22 કેસ, સુરતમાં 10, આણંદ 8, કચ્છ 5, રાજકોટ  શહેરમાં 5, રાજકોટ જિલ્લામાં 4, વલસાડ 4, અમદાવાદ 3, ભાવનગર કોર્પોરેશન 3, ગાંધીનગર કોર્પોરેશન 3, મહેસાણા 3, પાટણ 3, ભરુચ 2, નવસારી 2, વડોદરા 2, જામનગર કોર્પોરેશન 1,  પંચમહાલ અને  સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસનો 1 કેસ નોંધાયો છે. 

આજે કોઈ મોત નથી

આજે રાજ્યમાં કોઈ દર્દીનું મોત નથી થયું. આ સાથે આજે રાજ્યમાં કુલ 141 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1186 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 1215033 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.