બ્રેકિંગ@ગુજરાત: ચૂંટણી પહેલા નારાજ કાંધલ જાડેજાનું NCPમાંથી રાજીનામું, જાણો હવે કયા પક્ષથી લડી શકે ચૂંટણી

 
Kandhal Jadeja

અટલ સમાચાર, ડેસ્ક 

ચૂંટણી પહેલા ગુજરાતની કુતિયાણા બેઠકને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારણ કે છેલ્લી 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે. 2012માં તેઓ NCPમાં જોડાયા હતા. પરંતુ NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા તેઓ NCPથી નારાજ હતા.

ગુજરાતની એક ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ હવે કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાને BTP મેન્ડેટ આપી શકે છે. કાંધલ જાડેજા BTPના મેન્ડેટ પર ચૂંટણી લડશે. કારણ કે NCPએ કુતિયાણાથી મેન્ડેટ ન આપવાની વાત કરી હતી.ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજાએ NCPમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ અંતે ટિકિટ ન આપતા નારાજ થયેલા કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું આપી દીધું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતુ આ વખતે NCPએ મેન્ડેટ ન આપતા કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે.