મુલાકાત: PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, કરોડોના વિકાસકાર્યોના લોકાર્પણ, જાણો શું છે કાર્યક્રમ ?

અટલ સમાચાર, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓ આ પ્રવાસની શરુઆત આજે સુરતથી કરશે. સવારના 11:15 વાગ્યે સુરત એરપોર્ટ પર તેઓનું આગમન થશે. જ્યાર બાદ લિંબાયત વિસ્તારથી 3 હજાર 400 કરોડના વિકાસ કાર્યોની PM મોદી ભેટ આપશે. એરપોર્ટ પર આગમન બાદ PM મોદી ગોડાદરાથી લિંબાયત સુધી રોડ શૉ કરશે. PM મોદી સુરતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે. સુરતથી 1 વાગ્યા બાદ તેઓ ભાવનગર જવા રવાના થશે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
PM મોદી આજે ભાવનગરમાં પણ રોડ-શો કરશે તેમજ જાહેર સભાને પણ સંબોધશે. ભાવનગરમાં PM બપોરના 2થી 3 વાગ્યા સુધી રોકાશે. ભાવનગરમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ PM મોદી બપોરના દોઢ વાગ્યે એરપોર્ટ પર આગમન બાદ તેઓ મહિલા કોલેજથી અઢી કિલોમીટર લાંબો રોડ શૉ યોજશે. ત્યાર બાદ જવાહર મેદાનમાં જાહેરસભા સંબોધશે.
નવરાત્રિના પાવન પર્વે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો ગુજરાત પ્રવાસ
— BJP Gujarat (@BJP4Gujarat) September 28, 2022
તારીખ: 29 સપ્ટેમ્બર, 2022
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPS9ngD
• https://t.co/3xD28cK7Pu
• https://t.co/gDXaSM7jQg pic.twitter.com/cOO3RoCcC5
સૂત્રોએ જણાવ્યું હતું કે, સાંજના 4 વાગ્યે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચશે. જ્યાંથી તેઓ ગાંધીનગરમાં રાજભવન માટે જવા રવાના થશે. જ્યાર બાદ સાંજે સાત વાગ્યે અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાત્રીના નવ વાગ્યે તેઓ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાગ લેશે. ગરબા મહોત્સવમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી ફરી ગાંધીનગર માટે જવા રવાના થશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.