પ્રવાસઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આજે સાંજે ગુજરાતના મહેમાન બનશે, જાણો સમગ્ર કાર્યક્રમ
અટલ સમાચાર, ડેસ્ક
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત ના પ્રવાસે આવી રહ્યાં છે. 18 મી એપ્રિલે સાંજે ગુજરાતના પનોતા પુત્ર PM નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવી પહોંચશે. ત્યાર બાદ રાજ્યમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે અને સભાઓને સંબોધશે. તદઉપરાંત વિવિધ પ્રકલ્પોના ખાતમૂહુર્ત કરશે. આવતી કાલે પીએમ મોદી ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી રાજ્યભરના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, BRC, CRC, TPO, DPEO સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપશે.
વડાપ્રધાન મોદી આજે તા. 18 એપ્રિલથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેના ભાગ રૂપે પ્રથમ દિવસે પીએમ મોદી ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે રિયલટાઇમ ઓનલાઇન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રથમવાર રૂબરૂ મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની રાજ્યની મુલાકાત દરમિયાન રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે
- સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે
- રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે
19 એપ્રિલ
- બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે
- દિયોદર ખાતે જનસભામાં હાજર રહેશે
- દિયોદર બાદ જામનગરના કાર્યક્રમમાં હાજરી આપશે
- પીએમ મોદી બપોરે 1.20 વાગે જામનગર પહોંચશે
- 5 વાગે અમદાવાદ આવશે
- રાત્રે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે
20 એપ્રિલ
- પીએમ મોદી મહાત્મા ગાંધી મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે
- દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુરત કરશે
- સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે