રિપોર્ટ@ગુજરાત: વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ફોર્મ ભર્યું, જાણો કેમ હવે BJPમાંથી આપશે રાજીનામુ
Dec 19, 2022, 14:05 IST
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે આજે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિત મંત્રીઓ રહ્યા ઉપસ્થિત હતા. જોકે આજે બપોરે શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે. વિધાનસભાના અધ્યક્ષ નિષ્પક્ષ હોય છે, કોઈપણ રાજકીય પક્ષ સાથે અધ્યક્ષ સંકળાયેલા હોતા નથી. તેથી અધ્યક્ષપદની ઉમેદવારી બાદ શંકર ચૌધરી ભાજપમાંથી રાજીનામું આપશે.

