ગુજરાતઃ વધુ શ્રમિકો કાર્યરત હોય તેવા ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે શ્રમનિકેતન ઉભા કરાશે

કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં  મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં ૧પ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન  ઉભા કરવામાં આવશે.
 
મજૂર

અટલ સમાચાર, ડેસ્ક


શ્રમિકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડે શ્રમનિકેન યોજના અમલમાં મૂકી. જે અંતર્ગત ઔદ્યોગિક વસાહતોમાં 15 હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવા ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા કરવામાં આવશે. અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોને શ્રમનિકેતન હોસ્ટેલની સુવિધા મળશે. હોસ્ટેલથી શ્રમિકોની રહેવાની સમસ્યાનો ઉકેલ આવશે. ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતનનો આરંભ કરવા માટે સાણંદ GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં MoU થયા છે. આ શ્રમયોગી હોસ્ટેલ ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત 7 માળની બનશે અને 4138 સ્કવેર મીટરમાં નિર્માણ પામશે. આ હોસ્ટેલ 10 કરોડના ખર્ચે 28 મહિનામાં PPP ધોરણે બનશે, જેમાં 1 હજારથી વધુ શ્રમિકો રહે તેવી સુવિધા હશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગ દર્શનમા ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં  મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં ૧પ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન  ઉભા કરવામાં આવશે. 

   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમ નીકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે. શ્રમયોગીઓના જીવનધોરણને ધ્યાને લેતા તેમની રહેવા માટેની મુશ્કેલી આવી હોસ્ટેલથી મહદઅંશે નિવારી શકાશે. ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતનનો આરંભ કરવા માટે સાણંદ જી.આઇ.ડી.સી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં MoU કરાયા. 

શ્રમયોગી હોસ્ટેલ વિશે...

આ શ્રમયોગી હોસ્ટેલ ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત ૭ માળની બનશે અને ૪૧૩૮ સ્કવેર મીટરમાં નિર્માણ પામશે
શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, મલ્ટીપરપઝ હોલ, ડાઇનીંગ હોલ જેવી અદ્યતન સુવિધા ધરાવતી આ હોસ્ટેલ-શ્રમનિકેતન અંદાજે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે ર૮ મહિનામાં પૂર્ણ કરાશે. 
સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સહયોગથી નિર્માણ થનારી આ હોસ્ટેલમાં અંદાજે ૧ હજાર ઉપરાંત શ્રમયોગીઓ રહિ શકે તેવી વ્યવસ્થા કરાશે
એટલું જ નહિ, સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી તથા ૪,૮,૧ર અને ર૪ વ્યક્તિઓ રહિ શકે તેવા રૂમ બનાવાશે
 
આ એમ.ઓ.યુ પર સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અજીતભાઈ શાહ અને રાજ્ય સરકાર વતી  વેલ્ફેર કમિશ્નર દિગંત બ્રહ્મભટ્ટે હસ્તાક્ષર કર્યા હતા.