કૃષિજગતઃ અતિવૃષ્ટિના કારણે 33 ટકાથી વધુ નુકસાનીમાં સરકાર ખેડૂતોને સહાય ચૂકવશે

કારણ કે હાલમાં કેટલાંક વિસ્તારોમાં પાણી ઓસર્યું ન હોવાથી સર્વેની કામગીરી અટકી ગઇ છે. ખેડૂતોને 33%થી વધુ નુકસાની હોવા પર વિશેષ સહાય પેકેજની સરકાર દ્વારા વિચારણા કરાશે. 
 
Farmers-2-1

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં પાકની નુકશાનીનો સર્વે કરાશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને થયેલા નુકશાનીનો પણ સર્વે કરાશે. આ વિસ્તારોમાં ભારે વરસાદથી ચીકુ, કેરી, મગફળી, કેળ અને તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે સર્વે થઈ ગયા બાદ તંત્ર દ્વારા કેટલું પેકેજ જાહેર કરવામાં આવશે તેના પર સૌ ખેડૂતોની નજર મંડરાયેલી રહેશે.


   અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે. એ માટે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સર્વે પણ શરૂ કરી દેવાયો છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર સહાયનું પેકેજ જાહેર કરશે. કારણ કે હાલમાં કેટલાંક વિસ્તારોમાં પાણી ઓસર્યું ન હોવાથી સર્વેની કામગીરી અટકી ગઇ છે. ખેડૂતોને 33%થી વધુ નુકસાની હોવા પર વિશેષ સહાય પેકેજની સરકાર દ્વારા વિચારણા કરાશે. 

રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી કરાશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે.


રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. એમાંય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં તો ભારે વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થયું છે. જેને લઈને કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો છે.