અમદાવાદઃ દીલ પર પથ્થર રાખી મજબૂરીમાં આત્મહત્યા કરૂ છું, યુવક 4 પાનાની સુસાઇડ નોટ લખી મોતને ભેટ્યો

અટલ સમાચાર, ડેસ્ક
વસ્ત્રાલ વિસ્તારમાં 23મી જુલાઈનાં રોજ રોનક પટેલ નામનાં 42 વર્ષીય યુવકે આપધાત કર્યો હતો. યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈને આપધાત કરતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતક રોનક પટેલે આત્મહત્યા પહેલા પોલીસ કંટ્રોલરૂમમાં એક સુસાઈડ નોટ મોકલી હતી, જેમાં આત્મહત્યા પાછળનાં કારણ ખુલ્યા છે. રોનક પટેલે ચાર પાનાની સુસાઈડ નોટમાં લખ્યુ હતું કે, "હું રોનકકુમાર બાબુલાલ દીલ પર પથ્થર રાખી મજબૂરીમાં આ પગલું લઈ રહ્યો છું. જેનું મુખ્ય કારણ રાકેશ ઉનડકટ (ફર્મ- વિઝન કેપિટલ), અને તેની સાથેનાં માણસો મારૂતિભાઈ, કૃણાલભાઈ અને ધવલભાઈ જવાબદાર છે. કારણ કે તેઓ રાકેશભાઈને દરેક વાતમાં સમર્થન આપી મને દબાણમાં લાવ્યો અને આ પગલું ભરવા મજબૂર કર્યો છે. ENGITECH SOLUTION કંપનીમાં જૂના મશીન પર તેમણે કરેલી લોન પરથી 14 જૂન 2020માં નોટરી કરારથી મારા નામની પ્રોપરાઈટર ફર્મમાં વગર પૈસે રોકાણે લોન કરાવી રાકેશ ઉનડકટ ભાગીદાર બન્યા હતા."
આ લોનમાં તેમની જ ફર્મ કે તેમને લાગતી વળગતી ફર્મ ચામુંડા એન્જીનિયરીંગ અને વિજય મશીન ટૂલ્સમાંથી બિલ બીલની સાઇકલ ફેરવી જૂના મશીનને નવા બનાવી લોન કરી અને અમારી કંપની ENGITECH SOLUTION ચાલુ કરી હતી. મારી કંપનીમાં અમારા બંનેના નામે લોન કરવામાં આવશે અને મશીન પ્રોપર્ટી તથા નફામાં બન્નેનો સરખો ભાગ રહેશે તેવી વાત કરવાથી હું તૈયાર થયો હતો. પરંતુ બન્નેના નામે લોન કરવાની જગ્યાએ મારા એકલાના નામે લોન કરી અને વેપારીને પુરી જવાબદારી આપી 50 ટકા ભાગીદાર બન્યા હતા."
"આરોપીઓએ ભાગીદાર બનતા પહેલા એવી વાત કરી હતી કે ભલે તેનું રોકાણ નથી પરંતુ તેના કોન્ટેક્ટસમાંથી 12 કલાકનું કામ આપશે અને રોજનાં 4-5 કલાક હાજરી આપી સપોર્ટ કરશે. જેનો પગાર કંપનીએ 10 હજાર ચુકવવાનો રહેશે જે બાદ વેપારીએ ભાગીદારને પગાર ચુકવ્યો હોવા છતાં તેણે બન્નેમાંથી એક પણ શરતનું પાલન કર્યું ન હતુ અને કંપનીની 7 લાખ 57 હજાર રૂપિયા સબસીડી આવી તેમાં પણ 50 ટકા ભાગ માંગ્યો હતો. જે ભાગ આપવાની વેપારીએ ના પાડતા ભાગીદારે સબસીડી પાછી ખેંચાવી લેવાની ધમકી આપી રોનક પટેલને મશીન વેચવા મજબુર કર્યો હતો. વેપારી મશીન વેચ્યા બાદ બજારનાં હિસાબમાં 5 લાખનું નુકસાન સામે આવતા લોન ભરવા માટે બેંકમાં ગયા હતા. તે સમયે રાકેશ ઉનડકરે 18 લાખ રુપિયા વ્યાજ પર આપવાનું કહીને લઈ લીધા બાદ આપવાની ન પાડી દીધી, જેનાં કારણે વેપારી લોન ભરી શક્યા નહોતા."
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
મૃતક રોનક પટેલે સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું હતું કે, સરકાર આ માણસની વિગતો જાણી યોગ્ય પગલાં ભરે. વર્ષ 2020માં તેનાં ત્યાં કામ કરતા અજય સાગર અને સોહમ પંડ્યાને અલગ અલગ આરોપો લગાવી પેપરમાં નામ આપી વગોડીને કાઢ્યા હતા. તેવી જ રીતે મને પણ માનસિક રીતે પ્રેસરમાં લાવી આ પગલું ભરવા મજબુર કર્યો છે. આ સાથે વેપારીએ પોલીસને પરિવારની કોઈ પણ પ્રકારની પૂછપરછ કરવામાં ન આવે અને ચોક્કસ ગુનેગારને ચોક્કસ પરિણામ મળે તેવી માંગ કરી હતી. સાથે જ મૃતકે પોતાનાં વતનની જમીન અને અન્ય બાબતોનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. આ મામલે રામોલ પોલીસે રોનક પટેલનાં ભાગીદાર રાકેશ ઉનડકટ અને તેની સાથેનાં મારૂતિભાઈ કૃણાલભાઈ અને ધવલભાઈ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુસાઈડ નોટમાં વેપારીએ પરિવારને સંબોધીને લખ્યું હતું કે, તનીકા અને આરવને વિનંતી છે કે મારી જિંદગીમાં હું તમારા માટે કાંઈ પણ કરી શક્યો નથી. શક્ય હોય તો માફ કરજો. ફૂલ જેવા આરવ અને આવા સરસ પરિવારને મૂકીને જવાનુ મન થતું નથી પરંતુ શું કરું? ડગલેને પગલે સાથ આપનાર તનીકાનો ઋણી છું. મમ્મી પપ્પાને આ ઉમરે મૂકીને જાઉં છું, એ માટે ભગવાન મને માફ કરે. તનીકા પરિવારની મંજૂરી લઈને આરવના ભવિષ્ય માટે બીજુ ઘર કરે તો એમાં કાઈ ખોટુ નથી.