અકસ્માત: અમદાવાદ-માલવણ હાઇવે પર ટેમ્પો પલટાયો, 4 ના મોત
અટલ સમાચાર,અમદાવાદ રાજયમાં હમણાથી અકસ્માતના બનાવો વધી રહયા છે. અમદાવાદ-માલવણ હાઇવે પર મંગળવારે બપોરે એક અકસ્માતમાં 4 ના મોત નિપજયા છે. ત્યારે ૧પ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોકે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અમદાવાદ જીલ્લાના દોલતપુરા નજીક મંગળવારે બપોરના સમયે ટેમ્પો પલટાઇ જતા
May 28, 2019, 15:19 IST
અટલ સમાચાર,અમદાવાદ
રાજયમાં હમણાથી અકસ્માતના બનાવો વધી રહયા છે. અમદાવાદ-માલવણ હાઇવે પર મંગળવારે બપોરે એક અકસ્માતમાં 4 ના મોત નિપજયા છે. ત્યારે ૧પ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોકે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.
અમદાવાદ જીલ્લાના દોલતપુરા નજીક મંગળવારે બપોરના સમયે ટેમ્પો પલટાઇ જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો પલ્ટી જતા ૪ વ્યકિતઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા છે. તો ૧૫ થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાથી થોડીક વાર માટે હાઇવે બ્લોક થઇ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને તાત્કાલિક વિરમગામ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.