ધાનેરાઃ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં આજે આમ આદમી પાર્ટીનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો

વિધાનસભા પ્રભારી સાગરભાઈ દેસાઈ,ઇન્દ્રભાઈ તુવર, તાલુકા પ્રમુખ અશોકભાઈ જોશી.કાલુસિંહ ,રસિકભાઈ,અશોકભાઈ, મફાભાઈ વગેરે પદાધિકારીઓ કાર્યકર્તા હાજર રહ્યા હતા.
 
aapp

અટલ સમાચાર, ડોટ કોમ

આજે ધાનેરા ખાતે આમ આદમી પાર્ટીની જન સંવાદ કાર્યક્રમ યોજાયો.જેમો મુખ્ય વક્તા સાગરભાઈ રબારી.અને સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી હાજર રહ્યા.સાથે વિધાનસભા પ્રભારી સાગરભાઈ દેસાઈ,ઇન્દ્રભાઈ તુવર, તાલુકા પ્રમુખ અશોકભાઈ જોશી.કાલુસિંહ ,રસિકભાઈ,અશોકભાઈ, મફાભાઈ વગેરે પદાધિકારીઓ કાર્યકર્તા હાજર રહ્યા હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો 

 આજે કિસાન સંઘના નેતા ,રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ એવા કાળુભાઇ તરક આ ભાજપ સરકારથી કંટાળી ને એક કટ્ટર દેશ ભક્ત .ઇમાનદાર મા.અરવિંદ કેજરીવાલ જી ના કામની રાજનીતિ થી પ્રેરાઈ આજે કાળુભાઇ તરક તેમના સાથીઓ  ઈશ્વરભાઈ પટેલ અને અના ભાઈ માલવી સાથે  મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી માં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને સાગરભાઈ રબારી ના હસ્તે  જોડાયા..આવનારા સમયમાં ખેડૂતોને જાગૃત કરી આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવશે તેવું કાળુભાઇ તરક દ્વારા જણાવવામાં આવ્યું. દિલ્હી પજાંબ જેવા અધિકારો ધાનેરાની જનતાને મળે તે માટે  મહેનત કરીશું.. 2022 માં સરકાર બનાવવા માટે રાતદિવસ .ઘર ઘર જઈ ને જાગૃત કરીશું.

આજ ના મુખ્ય વક્તા પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારી .જન સંવાદ દ્વારા લોકો ને  સોભળવામાં આવ્યા.તેમના પ્રશ્નો ના જવાબ આપવામાં આવ્યા..અને માર્ગદર્શન આપવામા આવ્યું.અને આ વખતે પરિવર્તન લાવવા આહવાન કરવામાં આવ્યું..
ભેમાભાઈ ચૌધરી.દ્વારા દિલ્હી ,પંજાબના કામો વિશે માહિતી આપવામાં આવી ,તે લાભ ગુજરાતની જનતાને મળે તે માટે આમે કામ કરીશું જેટલું કહીસુ તેટલું લેખિતમાં આપીશું.પણ એક મોકો આમ આદમી પાર્ટીને આપવામા માટે આહવાન કરું છું .તેવું કહેવામાં આવ્યું આપ માં જોડાવા માટે 9700297002 ઉપર મિસ કૉલ કરી પરિવર્તનની લડાઈ માં જોડાવા માટે વિનતી છે.