ચકચાર@થરાદ: મહામારી વચ્ચે કેનાલમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવી

અટલ સમાચાર,થરાદ કોરોના મહામારી વચ્ચે આજે થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં કેનાલે પહોંચ્યા હતા. કેનાલમાંથી લાશ તરી હોવાની વાત સામે આવતા સ્થાનિક તરવૈયા દ્રારા તાત્કાલિક અસરથી મૃતકની લાશને બહાર નિકાળવામાં આવી છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ
 
ચકચાર@થરાદ: મહામારી વચ્ચે કેનાલમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવી

અટલ સમાચાર,થરાદ

કોરોના મહામારી વચ્ચે આજે થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં કેનાલે પહોંચ્યા હતા. કેનાલમાંથી લાશ તરી હોવાની વાત સામે આવતા સ્થાનિક તરવૈયા દ્રારા તાત્કાલિક અસરથી મૃતકની લાશને બહાર નિકાળવામાં આવી છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના નાગલા પાસેથી નર્મદાની મુખ્ય નહેરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આજે સવારે કેનાલ લાશ તરતી હાલતમાં મળી આવી હોવાથી સ્થાનિક તરવૈયા દ્રારા બહાર નિકાળવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવક 27 વર્ષનો અને લાખણી તાલુકાના લવાણા ગામનો હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.