FIR@વડગામ: શૌચક્રિયા કરવા ગયેલ સગીરા ગુમ, ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર વડગામ તાલુકાના ગામેથી ઇસમ લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ વહેલી સવારે શૌચક્રિયા કરવા ગયેલી સગીરા પરત નહીં આવતાં પરિવારે શોધખોળ આદરી હતી. જોકે સગીરા નહીં મળતાં ગામમાં અને સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં સગીરાનો પત્તો લાગ્યો ન હતો. આ તરફ કોઇ
 
FIR@વડગામ: શૌચક્રિયા કરવા ગયેલ સગીરા ગુમ, ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

વડગામ તાલુકાના ગામેથી ઇસમ લગ્ન કરવાની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ વહેલી સવારે શૌચક્રિયા કરવા ગયેલી સગીરા પરત નહીં આવતાં પરિવારે શોધખોળ આદરી હતી. જોકે સગીરા નહીં મળતાં ગામમાં અને સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં સગીરાનો પત્તો લાગ્યો ન હતો. આ તરફ કોઇ ઇસમ ભગાડી ગયો હોવાનું સામે આવતાં પરિવારે તેના ઘરે  તપાસ કરતાં તે ઇસમ તથા તેની ગાડી હાજર ન હોઇ આ જ ઇસમ પોતાની દીકરીને ભગાડી ગયો હોવાનું કહી સગીરાના પિતાએ ફરીયાદ નોંધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના એક ગામની સગીરાને ઇસમ ભગાડી ગયો હતો. ગામમાં ખેતી કરીને રહેતાં પરિવારની 17 વર્ષિય સગીરા મંગળવારના રોજ સવારે સાડા પાંચેક વાગે શૌચક્રિયા કરવા ગઇ હતી. જે બાદમાં વધુ સમય થવા છતાં તે પરત નહીં આવતાં પરિવારે તેની શોધખોળ આદરી હતી. જે બાદમાં સગીરા નહીં મળતાં તપાસ કરતાં અશોકજી ઉર્ફે છનાજી ભવાનજી રાજપુત તેને ભગાડી ગયો હોવાનું સામે આવ્યુ છે.

FIR@વડગામ: શૌચક્રિયા કરવા ગયેલ સગીરા ગુમ, ઇસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયો
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તપાસ વચ્ચે માહીતિ મળતાં પરિવારે અશોકજીના ઘરે તપાસ કરતાં તે પણ હાજર નહીં મળી આવતાં પરિવારજનોને વિશ્વાસ આવી ગયો કે તે જ તેમની દીકરીને ભગાડી ગયો છે. ઘટનાને લઇ સગીરાના પિતાએ આરોપી અશોકજી સામે વડગામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે. જેમાં તેમની સગીર દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્નની લાલચ આપી અશોકજી ભગાડી ગયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઘટનાને લઇ પોલીસે આરોપી સામે આઇપીસી 363, 366 અને પોક્સોની કલમ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.